Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

પ્રોપર્ટી કાર્ડ બનતા લોન માટે એપ્લાય કરી શકીશ, અને ખેતીવાડીમાં જરૂરી સાધન સામગ્રી લેવામાં આર્થિક મદદ મળશે – ચૌધરી ભરતભાઈ



(જી.એન.એસ) તા.૧૮

ગાંધીનગર,

સ્વામિત્વ યોજનાના હેઠળ ગામ વિસ્તારની સુધારેલી ટેક્નોલોજી સાથે ગામડાઓનું સર્વેક્ષણ અને મેપિંગ કરીને તેના માલિકોને પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ કરવામાં આવે છે. આ ઉપરાંત આ યોજના થકી મહિલાઓ પણ મિલકતોની માલિકી મેળવી શકે છે. આ યોજનાનો ઉદ્દેશ જમીનના સચોટ રેકોર્ડ બનાવીને મિલકતના વિવાદોને ઘટાડવાનો છે. આ યોજનાના પરિણામે મિલકતના વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી જ સમસ્યામાંથી મુક્તિ મેળવતા માણસાના ચૌધરી ભરતભાઈ વેલાજી જણાવે છે કે, “હું જન્મથી જ જે ઘરમાં રહું છું તે ઘર મારું છે તેઓ કોઈ દસ્તાવેજી પુરાવો અત્યાર સુધી મારી પાસે ન હતો. પરંતુ આ સ્વામીત્વ યોજના થકી આજે મને આ ઘર મારું છે  તે સાબિત કરતો પુરાવો સરકાર શ્રી દ્વારા પ્રોપર્ટી કાર્ડ રૂપિયા આપવામાં આવ્યો છે”. સરકારે આવાસ યોજના અંતર્ગત માત્ર ઘરનું ઘર નહીં પણ સ્વામિત્વ યોજના અંતર્ગત પોતાના ઘરના કાયદેસરના પુરાવા પણ આપ્યા છે.જે બદલ સરકારશ્રીનો તેઓએ ખુબ ખુબ આભાર વ્યક્ત કરતા વધુમાં ઉમેર્યું હતું કે, હવે હું, લોન માટે એપ્લાય કરી શકીશ, અને ખેતીવાડીમાં જરૂરી સાધન સામગ્રી લેવામાં આર્થિક મદદ મળશે.

संबंधित पोस्ट

રાજ્ય સરકાર દ્વારા ખેડુતો પાસેથી ઘઉંની ખરીદી પર ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૧૫૦ પ્રતિ ક્વિન્ટલ બોનસ ચૂકવાશે

Gujarat Desk

‘ન્યુક્લિયર એનર્જીની ઉપયોગિતા’ પર CEO રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ

Gujarat Desk

મોરબી એસપી કાર્યાલય ખાતે પીએમ મોદીએ બેઠક કરી, આપ્યા આ સૂચનો

Admin

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહના હસ્તે સસ્તુ સાહિત્યનાં 24 પુનઃમુદ્રિત પુસ્તકોનું વિમાચન કરાયું

Gujarat Desk

શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને ધોળકાની સરસ્વતી વિદ્યાલયનો શ્રેષ્ઠ શાળા સમ્માન સમારોહ યોજાયો

Gujarat Desk

‘પાકિસ્તાનમાં ભારત સામે લડવાની હિંમત કે ક્ષમતા નથી’: લેફ્ટનન્ટ જનરલ મનોજ કટિયાર

Gujarat Desk