Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

પ્રોપર્ટી કાર્ડ બનતા લોન માટે એપ્લાય કરી શકીશ, અને ખેતીવાડીમાં જરૂરી સાધન સામગ્રી લેવામાં આર્થિક મદદ મળશે – ચૌધરી ભરતભાઈ



(જી.એન.એસ) તા.૧૮

ગાંધીનગર,

સ્વામિત્વ યોજનાના હેઠળ ગામ વિસ્તારની સુધારેલી ટેક્નોલોજી સાથે ગામડાઓનું સર્વેક્ષણ અને મેપિંગ કરીને તેના માલિકોને પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ કરવામાં આવે છે. આ ઉપરાંત આ યોજના થકી મહિલાઓ પણ મિલકતોની માલિકી મેળવી શકે છે. આ યોજનાનો ઉદ્દેશ જમીનના સચોટ રેકોર્ડ બનાવીને મિલકતના વિવાદોને ઘટાડવાનો છે. આ યોજનાના પરિણામે મિલકતના વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી જ સમસ્યામાંથી મુક્તિ મેળવતા માણસાના ચૌધરી ભરતભાઈ વેલાજી જણાવે છે કે, “હું જન્મથી જ જે ઘરમાં રહું છું તે ઘર મારું છે તેઓ કોઈ દસ્તાવેજી પુરાવો અત્યાર સુધી મારી પાસે ન હતો. પરંતુ આ સ્વામીત્વ યોજના થકી આજે મને આ ઘર મારું છે  તે સાબિત કરતો પુરાવો સરકાર શ્રી દ્વારા પ્રોપર્ટી કાર્ડ રૂપિયા આપવામાં આવ્યો છે”. સરકારે આવાસ યોજના અંતર્ગત માત્ર ઘરનું ઘર નહીં પણ સ્વામિત્વ યોજના અંતર્ગત પોતાના ઘરના કાયદેસરના પુરાવા પણ આપ્યા છે.જે બદલ સરકારશ્રીનો તેઓએ ખુબ ખુબ આભાર વ્યક્ત કરતા વધુમાં ઉમેર્યું હતું કે, હવે હું, લોન માટે એપ્લાય કરી શકીશ, અને ખેતીવાડીમાં જરૂરી સાધન સામગ્રી લેવામાં આર્થિક મદદ મળશે.

संबंधित पोस्ट

શાહે આલમ મિલત નગરમાં રસીકરણ અભીયાન હાથ ધરવામાં આવ્યું

Karnavati 24 News

આજ નું પંચાંગ (28/08/2025)

Gujarat Desk

હાટકેશ્વર બ્રિજના કોન્ટ્રાક્ટર અજય ઈન્ફ્રાના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો

Gujarat Desk

ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં રાજ્ય સરકારે ત્રણ પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરી છે

Gujarat Desk

આજનું રાશિફળ (23/11/2025)

Gujarat Desk

આજનું રાશિફળ (21/08/2025)

Gujarat Desk