Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગોવામાં રહી ગુજરાતમાં દારૃનું નેટવર્ક ચલાવતો બિશ્નોઇ ગેંગના મુખ્ય સાગરીત ઝડપાયો



(જી.એન.એસ) તા૧૩

વડોદરા,

વડોદરાના  .૨૧કરોડના વિદેશી દારૃના ત્રણ કેસમાં  સંડોવાયેલા બિશ્નોઇ ગેંગના સાગરીતને પીસીબી પોલીસે ગોવા ખાતે વેશપલટો કરીને ઝડપી પાડયો છે. આરોપી છેલ્લા ઘણા સમયથી  નાસતો ફરતો હતો. ગુનાની વધુ તપાસ માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી  બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. શહેરના માંજલપુર, મકરપુરા અને હરણી પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલા .૨૧ કરોડના વિદેશી દારૃના કેસમાં બિશ્નોઇ ગેંગની સંડોવણી ખૂલી હતી. અમદાવાદ જિલ્લાના અસલાલી, હાલોલ રૃરલ, વલસાડ ભીલાડ પોલીસ સ્ટેશન ખાતે દારૃ સપ્લાય કરનાર બિશ્નોઇ ગેંગના મુખ્ય સાગરીત પૈકીનો એક આરોપી સુરેશ કેશારામ બિશ્નોઇને  પકડવાનો બાકી  હતો. વડોદરા ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાના ગુનાઓમાં પણ આરોપી વોન્ટેડ હતો. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચના મુજબ, પીસીબી પી.આઇ. સી.બી. ટંડેલ દ્વારા સ્ટાફને આરોપી સુરેશ બિશ્નોઇને પકડવા માટે સૂચના આપી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસને માહિતી મળી હતી કે, આરોપી સુરેશ ગોવા ખાતે રહી પ્રોહિબીશનનું નેવટર્ક ચલાવે છે. જેથી, પીસીબીની એક ટીમ સુરેશને પકડવા માટે ગોવા  પહોંચી હતી. પોલીસે ગોવામાં મકાન ભાડે લઇ ત્રણ દિવસ સુધી વેશપલટો કરીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આરોપી સુરેશ ઉર્ફે સુનિલ ક્રિષ્ણારામ  બિશ્નોઇ  પકડાઇ જતા  પોલીસ તેને વડોદરા લઇ આવી હતી. માંજલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

संबंधित पोस्ट

અમદાવાદમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર હોવાની ઓળખ આપી ખંડણી માગતી ટોળકી ઝડપાઈ

Gujarat Desk

દીવના પ્રશાસને કિલ્લામાં પર્યટકોને એન્ટ્રી આપવા માટે ચાર્જ વસૂલવાની શરૂઆત કરી

Gujarat Desk

ખેડૂતોની માઠી દશા ! માવઠું પડશે તો શાકભાજીને નુકશાન થશે એવી ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે

Karnavati 24 News

તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી ODI મેચને ધ્યાનમાં રાખીને GMRC એ મેચના દિવસે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના ૧૨ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય

Gujarat Desk

જુલાઈ માસમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ૯૩%નો નોંધપાત્ર ઉછાળો…!!

Gujarat Desk

ચીનના શી જિનપિંગ દ્વારા સંબંધો ફરીથી સ્થાપિત કરવા માટે રાષ્ટ્રપતિ મુર્મુને ‘ગુપ્ત પત્ર’ મોકલવાના અહેવાલને ભારતે નકારી કાઢ્યો

Gujarat Desk