Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

૩૬૫ દિવસ જૂનાં કપડાં ભેગા કરીને ગરીબોને ગામો ગામ પહોંચાડી સમાજ સેવા કરતી સંસ્થા નિજાનંદ પરિવાર નિજાનંદ પરિવાર ભાવનગરને જૂનાં કપડાં ગરીબો માટે

૩૬૫ દિવસ જૂનાં કપડાં ભેગા કરીને ગરીબોને ગામો ગામ પહોંચાડી સમાજ સેવા કરતી સંસ્થા નિજાનંદ પરિવાર નિજાનંદ પરિવાર ભાવનગરને જૂનાં કપડાં ગરીબો માટે આપીને હુંફ પૂરું પાડતી સંસ્થા ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ભરત મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સમાજ ઉપયોગી આરોગ્ય કેમ્પ, રસીકરણ, રક્તદાન અને કાનૂની શિબિરો વૃક્ષારોપણની કામગીરી પણ કરવામાં આવે છે ભરત મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સમાજ ઉપયોગી આરોગ્ય કેમ્પ, રસીકરણ, રક્તદાન શિબિરો, કાનૂની શિબિરો, વૃક્ષારોપણ વગેરેની કામગીરી કરવામાં આવે છે અને તે રીતે સમાજને ઉપયોગી બને છે. તાજેતરમાં જ આ સંસ્થા દ્વારા ભાવનગર અને તેની આસપાસના ગામડાઓમાં ૩૬૫ દિવસ જૂના કપડાં ભેગાં કરીને ગરીબોને પહોંચાડતી સંસ્થા નિજાનંદ પરિવારને કપડાં પૂરા પાડીને ગરીબો માટેની હુંફ પૂરી પાડી હતી. નિજાનંદ પરિવાર નામની સંસ્થા વર્ષઃ ૨૦૧૫ થી નાત-જાતના ભેદભાવ વગર કામ કરતી ૨૮૦ સભ્યોની ટીમ છે. જે અમેરિકાથી નાના ગામડા સુધી ફેલાયેલા સભ્યોની બનેલી છે. તેમાં ઉદ્યોગપતિ પણ છે, આશા બહેનો પણ છે. કોઈપણ પ્રકારના પ્રમુખ, મંત્રી, ટ્રસ્ટી, વગરની આ સંસ્થા સમાજને ઉપયોગી બનીને નિજાનંદ લેવામાં માને છે. આ સંસ્થા દ્વારા ૩૬૫ દિવસ જુના કપડા જુદી- જુદી જગ્યાઓ પરથી એકત્ર કરવામાં આવે છે અને જરૂરિયાતમંદ ગામડાઓને ઓળખીને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી નિઃસ્વાર્થ ભાવે પહોંચતાં કરવામાં આવે છે. આ રીતે ગરીબોને હુંફ પૂરું પાડવાની કામગીરી કરીને ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જુના કપડાં ભેગા કરીને જરૂરિયાતમંદ માટે અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. નિજાનંદ પરિવાર દ્વારા તેમની તેમની આ કામગીરી માટે આભાર માનવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સિહોર પંથકમાં રસીકરણ, મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિરો, કીટ વિતરણ, કાનૂની શિબિર, પછાત વિસ્તારોમાં ભોજન, ઉનાળામાં છાશ વિતરણ, પુસ્તક વિતરણ, પક્ષીઘર માટે ચણ વગેરે કાર્યો દ્વારા સમાજ ઉપયોગી કાર્યો કરે છે.આ સંસ્થાના કાર્યોને સફળ બનાવવાં માટે પ્રમુખશ્રી અરૂણાબેન પંડ્યા, ઉપપ્રમુખ અને પત્રકારશ્રી હરેશભાઈ પવાર, સંગઠન મંત્રીશ્રી રાજુભાઈ પંડ્યા, મંત્રીશ્રી અભિષેકભાઈ પંડ્યા અને કારોબારીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

संबंधित पोस्ट

કર્મચારીઓ માટે મોટા સમાચાર / પેન્શન અને સેલરીમાં થશે બમ્પર વધારો, સરકારે લીધો મોટો નિર્ણય!

Admin

રથયાત્રા સાથે જોડાયેલી વાતોઃ ભગવાન કૃષ્ણએ તેમની બહેન સુભદ્રા જીની દ્વારકા યાત્રા કરી હતી

Karnavati 24 News

રાહત / આધાર કાર્ડમાં અપડેટ હવે ઘરે બેઠા થઈ જશે, પોસ્ટ વિભાગે શરૂ કરી નવી પહેલ

Karnavati 24 News

બાળકો ‘ગ્રાની’ને ઓનલાઈન વળગી રહે છે: MP માં 20 દિવસમાં 4 માતાપિતા મનોચિકિત્સકની મુલાકાત લે છે, A થી Z શીખો

Karnavati 24 News

નેશનલ ફુડ સિક્યોરિટી મિશન માં ભરતી ની જાહેરાત સામે આવી

Karnavati 24 News

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin