Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરત શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર કોરોના સંક્રમણ વધતા 4થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ

સુરત શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર કોરોના સંક્રમણ વધતા 4થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ

સુરત શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર કોરોના સંક્રમણ વધતા 4થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ લગાવાયો છે. સભા કરવા કે સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસને WHOએ વૈશ્વિક મહામારી જાહેર કરી છે, જે અનુસંધાને કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે અને સુરત શહેરમાં આગામી દિવસોમાં ધાર્મિક તહેવારો તેમજ રેલીઓ ધરણાઓના કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે.

જેથી કોઇપણ પ્રકાર ની સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતિ અને કાયદો,વ્યવસ્થા જળવાય રહે તે માટે સુરત પોલીસ કમિશ્નરે કેટલાક પ્રતિબંધો ફરમાવતું જાહેરનામુ જાહેર કર્યું છે. સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમર ના આદેશ અનુસાર, સુરત પોલીસ કમિશ્નરે વિસ્તારમાં પરવાનગી વગર જાહેર જગ્યા ઉપર ચાર કે ચાર કરતા વધારે માણસોએ ભેગા થવું નહીં. તેમજ કોઇ સભા ભરવી કે બોલાવવી નહીં અને કોઇ પણ જાતની સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

संबंधित पोस्ट

નિફટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૬૪૦૪ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

Gujarat Desk

દેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો ઝડપી પાડતી અમદાવાદની ઈસનપુર પોલીસ

Gujarat Desk

શાહે આલમ મિલત નગરમાં રસીકરણ અભીયાન હાથ ધરવામાં આવ્યું

Karnavati 24 News

BIS અમદાવાદ દ્વારા ટેક્સટાઈલ સંબંધિત ઉદ્યોગોના ગુણવત્તા નિયંત્રણ કર્મચારીઓ માટે બે દિવસીય કેપ્સ્યૂલ કોર્સનું આયોજન

Gujarat Desk

નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા જુલાઈ-૨૦૨૫થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ ૧૫ પૈસાનો ઘટાડો કરાયો: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ

Gujarat Desk