Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

વેરા વસુલાતની ઝુંબેશમાં એક દિવસમાં 184 મિલકત સીલ

તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલએ આસિસ્ટન્ટ કમિશનર તેમજ વોર્ડ ઓફિસરોની એક બેઠકમાં માર્ચના અંત સુધીમાં 95% વેરાની વસુલાત કરવાની સૂચના આપી હતી તે આધારે કોમર્શિયલ મિલકતોને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં વોર્ડ નંબર 1 થી 12 મા ગઈકાલે 184 મિલકતને સીલ મારવામાં આવ્યું હતું વેરા વસૂલાતની ઝુંબેશ શરૂ થઈ ત્યારથી તા.6થી આજ દિન સુધીછેલ્લા એક અઠવાડિયા દરમિયાન માં કોર્પોરેશને 1200 મિલકતને સીલ માર્યા હતા. અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 25000થી વધુ રકમ ના મિલકતવેરા બાકી હોય તેવા 15000 બાકીદારોને નોટિસ આપી નાણાં ભરપાઇ કરવા જણાવ્યું છે. આ 15000 બાકીદારો પાસેથી અંદાજે રૂ.150 કરોડ ની વસુલાત કરવાની બાકી છે.

संबंधित पोस्ट

ગુજરાતની ‘બ્લૂ રેવોલ્યુશન’: દરિયામાં ઉગતી નવી સમૃદ્ધિ એટલે સીવીડ ફાર્મિંગ

Gujarat Desk

પોરબંદરમાં હેરિટેજ ટે્રજર હંટ ઇવેન્ટ યોજાઇ : વિજેતાઓને સન્માનિત કરાયા

Admin

અમદાવાદને અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ ધરતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહ

Gujarat Desk

 ખેડા જિલ્લા ની 415 ગ્રામપંચાયતો ચૂંટણી માટે ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું

Karnavati 24 News

ભારતીય વાયુસેનાએ કિડની અને કોર્નિયાને બેંગલુરુથી દિલ્હી એરલિફ્ટ કર્યા; બહુવિધ અંગ દાન દ્વારા 5 લોકોના જીવ બચાવ્યા

Gujarat Desk

ગુજરાતમાં આજથી આગામી 7 દિવસ વરસાદ વરસવાની આગાહી: હવામાન વિભાગ

Gujarat Desk