Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

વર્ષ 2021માં અભયમ 181 દ્વારા 2265 મહિલાને સહાયતા પુરી પાડી

GVK MRI દ્વારા સિસ્ટમ અને પ્રોટોકોલ સાથે સુચારુ સંચાલન કરવામાં આવી રહેલ છે. કોઈપણ મહિલાના શારીરિક, માનસિક, આર્થિક, કે જાતીય પ્રશ્નોમા તાત્કાલિક પ્રશ્ન હલ કરવાની દિશામાં મદદરૂપ બને છે. ટ્રેઇન મહિલા કાઉન્સેલર દ્વારા પીડિત મહિલાના પ્રશ્ન ને અસરકારકતાથી કાઉન્સિલિંગ દ્વારા હલ કરવામાં આવે છે. અને પારિવારિક બિન જરૂરી તકરારમા સમાધાન કરાવવામાં આવે છે.

હિંસાનો ભોગ બનનાર મહિલાને પોલીસ સ્ટેશનમા ફરિયાદ અપાવવી, આશ્રય અપાવવામાં આવી રહેલ છે. કિશોરીઓ, યુવતીઓ, પરણિત મહિલાઓ કે સિનિયર સિટીઝન ને 24 કલાક વિનામૂલ્યે સેવા પહોચાડમા આવી રહેલ છે. આ ઉપરાંત બિનજરૂરી કોલ મેસેજ, આપઘાતના પ્રયાસ, કામના સ્થળે જાતીય સતામણી, લગ્નેત્તર અને બાહ્ય સબંધો, માનસિક અસ્વસ્થ વગેરે પ્રકાર ના મહિલા લક્ષી પ્રશ્નોનુ નિરાકરણ લાવવાની દિશામાં કાર્યરત છે.

વર્ષ 2021 દરમિયાન વલસાડ જિલ્લામાંથી કુલ 2265 જેટલી મહિલાઓએ 181 મહિલા હેલ્પલાઇનમા કોલ કરી મદદ, માર્ગદર્શન અને બચાવ માટે કોલ કરેલ હતા જેમાંથી ખુબ જ ગંભીર પ્રકાર ના 584 જેટલા કેસમા સ્થળ પર પહોંચી અભયમ રેસ્ક્યુ ટીમ દ્વારા મદદ પહોચાડવામાં આવેલ છે. વર્ષ દરમિયાન 434 જેટલા કેસોમા સમાધાન કરાવવામાં આવેલ છે 85 જેટલા કેસો મા જરૂર જણાતા પોલીસ ફરિયાદ અપાવવામાં મદદરૂપ થયેલ છે.

આ ઉપરાંત જરૂરિયાત મુજબ સરકારશ્રીના અન્ય વિભાગો મા અને પરિવાર ને હેન્ડઓવર કરવામાં આવેલ છે. આમ તાત્કાલિક સમય મર્યાદામાં પીડિત મહિલાઓને મદદ પહોંચાડવાથી અભયમ ગુજરાતની મહિલાઓની સાચી સખી સહેલી તરીકે દિન પ્રતિદિન વધુ ને વધુ વિશ્વાસ સંપાદિત કરી રહેલ છે.

संबंधित पोस्ट

વિશ્વનો ભારત પર વિશ્વાસ મજબૂત, R&Iએ ભારતનું સોવરિન રેટિંગ અપગ્રેડ કર્યું…!!

Gujarat Desk

દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે આજથી શરૂ થશે વલસાડ, વાપી, બાંદ્રા અને સુરત વિરાર શટલ

Karnavati 24 News

સપ્ટેમ્બર માસમાં ૫.૧૪ ટ્રિલિયન ડોલરના હિસ્સા સાથે ભારત વૈશ્વિક માર્કેટ કેપમાં પાંચમા સ્થાને…!!

Gujarat Desk

ડાયવર્ઝનથી રાયપુર ડભોડાને જોડતો‎માર્ગ મોટા ખાડાઓમાં ગરકાવ થઇ ગયો, રોડની મરામત કરવા સ્થાનિક વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી

Gujarat Desk

અમરેલીના ખાંભા-ઉના રોડ પર બોલેરોને નડ્યો અકસ્માત; 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Gujarat Desk

 વડોદરાની નિશાકુમારીનું સાહસ: ચોવીસ કલાકમાં બે વાર તળેટી થી કેદારકંથા શિખરની ટોચ સુધી આરોહણ કરી શિખર પર થી સૂર્યોદય અને સૂર્યાસ્ત નિહાળ્યો…

Karnavati 24 News