Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ ફરી ગુજરાતના પ્રવાસે આવી શકે છે, અગાઉ દાહોદનો પ્રવાસ નક્કી થયો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ અને બનાસકાંઠા આવવાના છે. 19 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી જામનગર આવે શકે તેવી શક્યતાઓ છે કેમ કે, આયુષ મંત્રાલયની હેઠળ WHO દ્વારા નિર્મિત જીસીટીએમની સ્થાપન હેઠળ તેઓ આવી તેનું ઉદઘાટન કરે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. જામનગર દ્વારા હેલ્થ વિભાગ દ્વારા આ કાર્યક્રમ બનાવવામાં આવી રહ્યાે છે.

વૈશ્વિક સેન્ટરના સિલાન્યાસ માટે આયુષ મંત્રાલાયએ તૈયારી શરુ કરી છે. જામનગર ગ્લાેબલ સેન્ટર ફાેર ટ્રેડિશન મેડીસીનની સ્થાપનાને 9 માર્ચે મંજૂરી મળી હતી. પ્રથમ અને વૈશ્વિક પરંપરાગત દવા માટેનું અેક માત્ર કેન્દ્ર હશે ફરી જામનગરને વિશ્વ કક્ષાની ઓળખ આ મેડિસીનથી મળી શકે છે. જામનગર એક પછી એક ઓળખ મેળવી ચૂક્યું છે.  ત્યારે હવે પીએમ આવે તેવી શક્યતા છે. અહીં રીસર્ચ સેન્ટર બનશે, સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયા પણ આવવાના છે જેથી બેથી ત્રણ દિવસનો પ્રવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો ગોઠવાઈ શકે છે.

અગાઉ નરેન્દ્ર મોદી થોડા દિવસ પહેલા જ 4 રાજ્યોની જીત બાદ તરત જ ગુજરાતમાં આવ્યા હતા. અમદાવાદથી ગાંધીનગર કમલમ સુધી રોડ શો કર્યો હતો. અમદાવાદ અને ગાંધીનગર બાદ હવે ફરી તેઓ જામનગર આવે તેવી શક્યતા છે.

વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ ત્યારથી જ ગુજરાતમાં જોવા મળી રહી છે ત્યારે વડાપ્રધાનના એક પછી અેક પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે ત્યારે અાજે કેન્દ્રિય ગૃહમંત્રીનો પ્રવાસ પણ ગાંધીનગરમાં 10 એપ્રિલના રોજ છે.

संबंधित पोस्ट

ઉતરાયણ પર્વે પંખીઓને ઈજા ન થાય તેની તકેદારી લેવી જરૂરી – મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

Karnavati 24 News

અરવિંદ કેજરીવાલ, ભગવંત માનના રોડ શો હજારોની સંખ્યામાં જોવા મળી રહી છે ભીડ

Karnavati 24 News

ભાજપના સ્થાપના દિન પર પીએમ મોદીએ કહ્યુ- અમે જેટલા કામ કર્યા, તેની ચર્ચામાં કેટલાક કલાક લાગશે

Karnavati 24 News

योगी सरकार 2.0: कौन होगा उपमुख्यमंत्री? लोकसभा चुनाव-जातिवाद-पश्चिमी यूपी में संतुलन बनाए रखने के लिए चर्चा में हैं ये नाम

Karnavati 24 News

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી ગીર ફોરેસ્ટને લીધે વિલંબિત તમામ મીટરગેજ લાઈનોના ગેજ પરિવર્તનના કામો રેલવે બોર્ડ તરફથી પ્રાયોરિટીમાં લેવામાં આવ્યા

Karnavati 24 News

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી 29 સપ્ટેમ્બરે બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે,પ્રિયંકા ગાંધી પણ ટુક સમયમાં ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે