Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને નોકરી પરથી કરી રહી છે છૂટા, જાણો શું છે કારણ

માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યા બાદ તરત જ ઈલોન મસ્કે ટ્વિટરના લગભગ અડધા કર્મચારીઓને છૂટા કરી દીધા છે. કર્મચારીઓની આટલી વધી ગયેલી રકમને હટાવવાનું કારણ મસ્ક દ્વારા કંપનીની આર્થિક સ્થિતિને સુધારવાનું જણાવવામાં આવ્યું છે. માત્ર આટલું જ નહીં, ઈલોન મસ્કે ટ્વિટરની કમાન સંભાળતાની સાથે જ માઈક્રો બ્લોગિંગ સાઈટના સીએફઓ, સીઈઓ અને પોલિસી ચીફને બહારનો રસ્તો બતાવી દીધો છે. ટ્વિટરની સાથે સાથે ઘણી મોટી ટેક કંપનીઓ પણ વધેલી રકમની છટણી કરી રહી છે.
કર્મચારીને છૂટા કરવાનું આ એક કારણ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓક્ટોબર સુધીના આંકડામાં આ વર્ષે અત્યાર સુધીમાં માઇક્રોસોફ્ટ, ગૂગલ, ઇન્ટેલ જેવી મોટી ટેક કંપનીઓએ 45 હજારથી વધુ કર્મચારીઓને છૂટા કર્યા છે. કેટલીક નાની અને મોટી ટેક કંપનીઓએ પણ કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે અને નવી ભરતી બંધ કરી છે. તેમાં એવી કંપનીઓ પણ સામેલ છે જેણે કોરોના સમયગાળા દરમિયાન ઓનલાઈન બિઝનેસથી મોટી કમાણી કરી છે. કંપનીઓનું કહેવું છે કે, લૉકડાઉનમાં ઓનલાઈન બિઝનેસને કારણે વધારે માત્રામાં ભરતી કરી લીધી હતી, જે હવે સંતુલિત કરવામાં આવી રહી છે. માત્ર અમેરિકન કંપનીઓ જ નહીં, ભારતીય આઈટી કંપનીઓ પણ નવી ભરતીથી દૂર રહી છે.

નોકરી  પરથી છૂટા કરવાનું આ છે કારણ 

સમગ્રવિશ્વની ટેક કંપનીઓ આર્થિક મંદીથી ભયભીત છે. પહેલા કોરોના લોકડાઉન અને હવે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં વધતી અનિશ્ચિતતાના કારણે ટેક કંપનીઓએ ભરતી કરવાનું બંધ કરી દીધું છે અને મોટી સંખ્યામાં કર્મચારીઓને નોકરી પરથી છૂટા કરવાનું શરૂ કર્યું છે. તેની પાછળનું કારણ એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, રશીયા-યુક્રેન યુદ્ધના કારણે સપ્લાય ચેઇનમાં સમસ્યા છે. કોરોનાના વધતા જતા કેસને કારણે ચીનમાં લોકડાઉન છે, જેના કારણે સપ્લાય ચેન અને ટેક કંપનીઓની મુશ્કેલીઓ વધી રહી છે.

આ કંપનીઓમાં સૌથી વધુ કર્મચારીને કરાઈ રહ્યા છે છૂટા 

ટ્વિટર- કંપનીએ લગભગ 50 % કર્મચારીઓને છૂટા કરાયા છે. લગભગ 3700 લોકોને છૂટા કરવામાં આવ્યા છે.
નેટફ્લિક્સ – 500 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા.
L&T- કંપનીએ કર્મચારીઓની સંખ્યામાં 5 %નો ઘટાડો કર્યો છે.
ટેક મહિન્દ્રા – હેડકાઉન્ટમાં આશરે 1.4 %નો ઘટાડો થયો છે.
કર્મચારીઓ પર વધુ ખર્ચને કારણે વિપ્રો- 6.5 % કર્મચારીઓમાં ઘટાડો થયો હતો.
સ્નેપચેટ – સ્ટોકમાં 40 % ઘટવાને કારણે 20 % કર્મચારીને છૂટા કરાયા. 1,000 કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી શકે છે.
Shopify- કંપનીએ તેના 10 % કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે. 1,000થી વધુ કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી શકે છે.
માઈક્રોસોફ્ટ – જુલાઈથી, કંપનીએ ઘટતી કમાણીને કારણે તેના લગભગ 1 % કર્મચારીઓને છૂટા કર્યા છે.
ઇન્ટેલ- કંપની 20 % કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે.
સી-ગેટ – કંપનીએ તેના 8 % કર્મચારીઓને છૂટા કરવાની તૈયારી કરી છે. લગભગ 3,000 કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી શકે છે.
લિફ્ટ- છેલ્લા એક મહિનામાં જ કંપનીએ 13 % કર્મચારીઓને છૂટા કરાયા છે. લગભગ 700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
સ્ટ્રાઇપ – કંપની કર્મચારીઓની સંખ્યામાં 14 %નો ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે, જેના કારણે લગભગ 1,120 કર્મચારીઓનું નુકસાન થશે.
ઓપનડોર – કંપની 18 % કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે, તેનાથી 550 કર્મચારીઓને અસર થશે.

संबंधित पोस्ट

ગણવેશ,બુટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે

Karnavati 24 News

ખારવા પંચ ભોઇ પંચ છડીએ ધોળીકુઈમાં નામનું રોકાણ કર્યું તો વાલ્મિકી પંચની છડીએ આલી હરીજન વાસ માં રોકાણ કર્યું હતું

Karnavati 24 News

મોંઘવારીએ તો જબરી કરી ! તસ્કરોએ કરી 50 કિલો લીંબુની ચોરી, જુઓ ક્યાં બની આ ઘટના?

Karnavati 24 News

 મહામારી કાળના 638 દિવસમાં SSG હોસ્પિટલની લેબમાં 3 લાખથી વધુ RT-PCR ટેસ્ટ કરાયા

Karnavati 24 News

PM મોદીના હસ્તે રૂ. ૩૦૫ કરોડના ખર્ચે સાબર ડેરીના નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરાશે.

Karnavati 24 News

મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખે પરિવાર સાથે પીએમ મોદીની મુલાકાત લીધી Article General User ID: PARNR441 National 44 min 2 1

Karnavati 24 News