Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

મોંઘવારીએ તો જબરી કરી ! તસ્કરોએ કરી 50 કિલો લીંબુની ચોરી, જુઓ ક્યાં બની આ ઘટના?

ઉત્તર પ્રદેશ

મોંઘવારીએ તો જબરી કરી ! તસ્કરોએ કરી 50 કિલો લીંબુની ચોરી, જુઓ ક્યાં બની આ ઘટના?

હાલ, દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીએ સામાન્ય પ્રજાની કમર તોડી નાંખી છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય જુદા જુદા બહાનાઓ બનાવી રાષ્ટ્રવ્યાપી મોંઘવારીને નકારવામાં પણ પાછળ નથી હટી રહ્યા. પરંતુ રાજકારણ અને મોંઘવારીની વચ્ચે સામાન્ય પ્રજા પીસાઈ રહી છે.

હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એક શાકભાજીના માર્કેટમાંથી ચોર તસ્કરો અંદાજે 50 કિલો લીંબુ ચોરી ગયા. આ ઘટના યુપીના શાહજહાપુરમાં બની છે. સતત વધતી મોંઘવારીને કારણે લોકોને હવે શાકભાજીની કિંમત સોના જેવી થતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વિચિત્ર પ્રકારની ચોરીની ઘટના યુપીથી સામે આવી છે. આ સમગ્ર ઘટનામાં ચોર તસ્કરો લીંબુની સાથે સાથે લસણ તથા ડુંગળી પણ ચોરી ગયા છે.

વાત કરીએ મોંઘવારીની, તો પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસ બાદ જે રીતે શાકભાજીમાં થતાં ભાવવધારાએ પોતાનો જોર પકડ્યો છે, તેને જોતાં સમગ્ર દેશમાં સામાન્ય વ્યક્તિ પર અસર પડી છે. કારણ કે હાલમાં લીંબુની કિંમત 150 રૂપિયાથી લઈને 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. અને જે 50 કિલો લીંબુની ચોરી થઈ છે, તેની અંદાજિત કિંમત રૂપિયા 12000 ની આસપાસ થાય છે. આ ઘટના બાદ શાકભાજીના વેપારીઓમાં ભારે ગુસ્સો ફેલાયો છે, અને પોલીસ વિભાગ દ્વારા ચોરીની ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

संबंधित पोस्ट

અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ૨૪ પોલીસ કર્મચારીઓ ની ( E.O.W ) આર્થિક ગુના નિવારણ શાખા માં બદલી કરાઈ.

Karnavati 24 News

મોંઘવારીએ – પેટ્રોલમાં 80 પૈસા અમે ડીઝલમાં 82 પૈસાનો ફરી વધારો, સતત વધી રહ્યા છે ભાવ

Karnavati 24 News

“આ દિલ્હી-મુંબઈ નથી, આ પાકિસ્તાન છે… હોળી ન રમી શકે હિંદુ”

Karnavati 24 News

મારા માટે A ફોર એટલે આદિવાસી, પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશિર્વાદ લઇને કરીશ : મોદી

Admin

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂની શહાદતને નમન કરવાના પુણ્યદિવસની ઉજવણી કરવામાં આવશે, બીજેપીના નેતાઓ જોડાશે

Karnavati 24 News

અમરેલી જિલ્લાના 4 મુખ્ય યાર્ડમાં 1 દિવસમાં 2222 ક્વિન્ટલ મગફળીની આવક

Karnavati 24 News