Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

પૂર્વ અમદાવાદમાં જાહેર સભા બાદ અમિત શાહનો આજે રોડ શો યોજાશે, CMનો પણ રોડ શો, જાણો બીજા નેતાનો ક્યાં છે પ્રવાસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે સાંજે પૂર્વ અમદાવાદમાં પ્રચંડ રોડ શો યોજવામાં આવશે. આ પહેલા તેમની જાહેર સભા પૂર્વ અમદાવાદમાં યોજવામાં આવી હતી ત્યારે આજે તેઓ રોડ શો અસારવા વિસ્તારમાં સાંજે કરશે. બાપુનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ. રોડ શો કરીને પ્રચાર કરશે.

ભાજપના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ આજે ગુજરાતમાં અનેક મેરેથોન બેઠકો કરશે તેની સાથે સાથે અમિત શાહનો રોડ શો પણ યોજવામાં આવશે. આ રોડ શો મોહન સિનેમાથી શરુ કરીને કલાપીનગપ બસસ્ટેન્ડ અસારવા સુધી યોજવામાં આવશે.

પ્રથમ તબક્કાનો પ્રચાર પૂર્ણ થતાની સાથે જ બીજા તબક્કા માટે પ્રચાર તેજ બન્યો છે. રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ આજે ગુજરાતમાં અનેક મેરેથોન બેઠકો કરશે. આ ઉપરાંત ભાજપ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે ગોવાના સીએમનો ઉમેદવારો સાથે ડોર ટુ ડોર પ્રચાર યોજાયો હતો તેવી જ રીતે કેન્દ્રીય નેતાઓ પણ ડોર ટુ ડોર પ્રચારમાં જોડાઈ રહ્યા છે.

અમદાવાદ સિવાય અન્ય જિલ્લાઓમાં પણ બીજા તબક્કા માટે પ્રચાર

બીજા તબક્કાની 93 બેઠકો માટે તમામ રાજકીય પક્ષો જોરદાર પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક નેતાઓ પ્રચાર કરશે. અમિત શાહ મહેસાણામાં જાહેર સભાને સંબોધશે. જેપી નડ્ડા અમદાવાદના જમાલપુરમાં રોડ શો દ્વારા પ્રચાર કરશે. અમદાવાદમાં રાજનાથ સિંહ અને બાલાસિનોર, પાદરામાં પરેશ રાવલ અને ડીસામાં પુરુસોત્તમ રૂપાલા જાહેરસભાને સંબોધશે. બાપુનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ. રોડ શો કરીને પ્રચાર કરશે.

संबंधित पोस्ट

ટ્રાઇબલ તાલુકામાં ગણના થતી એવા ઝઘડિયા તાલુકામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Karnavati 24 News

કોંગ્રેસ અધ્યક્ષ માટે દિગ્વિજય સિંહ પણ લડી શકે છે ચૂંટણી, આજે કરશે સોનિયા ગાંધી સાથે મુલાકાત 

જૂનાગઢના રોડ રસ્તા ની બાબતે જાગૃત નાગરિક દ્વારા કલેક્ટર કમિશનર મેયર અને ચેરમેનને રિક્ષામાં ભ્રમણ કરાવવા કાર્યક્રમ

Karnavati 24 News

ઝાલોદમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી

Karnavati 24 News

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી થશે

Karnavati 24 News

ભારતીય જનતા પાટીઁ ના સ્થાપના દિન નિમિતે ફતેપુરા થી દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે બાઇક રેલીનુ પ્રસ્થાન કરાવ્યુ… એક હજારથી વધુ લોકો બાઇક રેલી મા જોડાયા…

Karnavati 24 News