Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

દૂધની વધતી માંગ અને તેના આર્થિક લાભને કારણે પશુપાલન સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવ્યો: પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ



૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪માં ગીર સોમનાથના ૩૯ પશુપાલકોને રૂ. ૪૨.૧૯ લાખ સહાય ચૂકવાઈ

(જી.એન.એસ) તા. 12

ગાંધીનગર,

પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, વર્ષોથી ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક વ્યવસાય રહ્યા છે. સમયાંતરે દૂધની વધતી જતી માંગ અને તેના વેચાણ દ્વારા મળતા આર્થિક લાભને કારણે આજે પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે.

વધુ માહિતી આપતા મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો પશુપાલન વ્યવસાય થકી મહત્તમ આવક મેળવી શકે તે માટે ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૮-૧૯થી “૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના” અમલમાં મૂકી હતી. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના ૩૯ પશુપાલકોને કુલ રૂ. ૪૨.૧૯ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી.

આ યોજના હેઠળ પશુપાલકોને ૧૨ દૂધાળા પશુની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર પાંચ વર્ષ સુધી વ્યાજ સહાય, ડેરી ફાર્મ સ્થાપનાના પહેલા ત્રણ વર્ષના પશુ વિમાના પ્રિમિયમ પર સહાય, કેટલ શેડ બાંધકામ પર સહાય, ઇલેકટ્રીક ચાફકટર, મીલ્કીંગ મશીન અને ફોગર સીસ્ટમ ખરીદી પર સહાય આપવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

संबंधित पोस्ट

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે થશે મતદાન; કુલ 7,036 ઉમેદવારી પત્ર રજૂ થયા હતા, જેમાંથી 1,261 ઉમેદવારી પત્ર અમાન્ય જાહેર

Gujarat Desk

ગુજરાત અને હરિયાણામાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને મજબૂત બનાવવા માટે કેન્દ્રએ 15મા નાણાપંચમાંથી 730 કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ જાહેર કરી

Gujarat Desk

‘માસિક સ્રાવ સ્વાસ્થ્યનો અધિકાર જીવનના અધિકારનો ભાગ છે’: સુપ્રીમ કોર્ટે શાળાઓમાં છોકરીઓ માટે મફત સેનિટરી પેડ ફરજિયાત કર્યા

Gujarat Desk

ભરૂચમાં PSI હોવાનો રોફ જમાવી રૂપિયાની ઉઘરાણી કરનારા બે શખ્સો ઝડપાયા

Admin

ઇલ્હાન ઓમર પર હુમલો થયા બાદ ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા જાહેર થઈ, ‘તેણીએ કદાચ જાતે જ સ્પ્રે કર્યું હશે…’

Gujarat Desk

નવરાત્રી બીજું નોરતું માતા બહ્મચારિણી પૂજા વિધિ કરવામાં આવે છે

Gujarat Desk