Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

તળાજા નગરપાલિકાના 70 કામદારો ને છુટા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો

તળાજા નગરપાલિકાના 70 કામદારો ને છુટા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો

 
તળાજા નગર પાલિકા પ્રમુખ, ચીફ ઓફ્સિર સહિતના હોદ્દેદારોએ આજે પાલિકાના હિતમા હિંમતભર્યો નિર્ણય લિધો હતો. મહેકમ કરતા વધુ હોય અને કામ નહિ કરતા ૭૦ કોન્ટ્રાક્ટ બેઝના કર્મીઓને છુટા કરતા ખળભળાટ મચી ગયો હતો. મહેકમ કરતા વધુ નગરપાલિકામાં એવા અનેક કર્મચારીઓ હતા જેનો ભાર પાલિકા વેંઢારતી હતી. આ મુદ્દો વારંવાર ચર્ચા ની એરણે ચઢતો હતો. કોઈ સગા તો કોઈ વ્હાલાને પાલિકામાં નોકરીએ રખાવી જશ ખાટવા આવતો હતો. એ કર્મીઓને પાલિકા નગર વાસીઓ પાસેથી કરવેરો ઉઘરાવતા તેમાંથી ચૂકવતો હતો.આ સિલસિલો વર્ષોથી ચાલ્યો આવતો હતો.આવા કર્મચારીઓને ગુરૂવારે સાંજના સમયે કાલથી ન આવતા તેવુ ફ્લેનમા જ કહી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે છૂટા કરાયેલ કર્મચારીઓ અને નગરસેવકોના મોબાઈલ રણકવા લાગ્યા હતા. આ બાબતે ચીફ ઓફ્સિર પટેલ એ જણાવ્યુંહતું કે પાલિકાના હિત માટે આ પગલું ભરવું જરૂરી હતું.તેના માટે સત્તાધીશનો પણ સહકાર મળ્યો હતો.આથી સિત્તેર જેટલા કર્મીઓને છુટા કરવામાં આવ્યા છે. જેમાં બગીચા, કૂવા, ગટર, વેરા વસૂલાત, વોટર વર્કસ સહિતની તમામ શાખા માંથી જરૂર ન હોય તેને છૂટા કરવામાં આવ્યા છે. આ બધાજ કોન્ટ્રાક્ટ બેઝ કર્મીઓ હતા. સિનારિયો તો એવો જોવા મળતો કે કલેકટર કચેરીએ એકાદ બે પટ્ટા વાળા હોય પરંતુ પાલિકા મા છ છ પટ્ટાવાળા જોવા મળતા હતા. એક સાથે ૭૦ કર્મીઓને છૂટા કરવામાં આવ્યાં છે ત્યારે હવે પાલિકા ની રોજિંદી સાઈ પાણી વિતરણ સહિતની સેવા મા કોઈ તકલીફ પડે છે કે કેમ તે આવતા બે ત્રણ દિવસમા ખબર પડી જશે તેવી પણ ચર્ચા પાલિકા વર્તુળ મા ઉઠી હતી.

संबंधित पोस्ट

उत्तर प्रदेश में महिला से छेड़छाड़ करने वाले व्यक्ति को निर्वस्त्र कर की धुनाई।

Admin

અરવલ્લીમાં હાહાકાર મચાવનાર GUJCTOC નો આરોપી સૂકો ડુંડ ભિલોડા નજીકથી પોલિસ જાપ્તામાંથી ફરાર, કોણ છે સૂકો ડૂંડ, જાણો

जालंधर लुधियाना हाइवे पर हो रहा था जिस्म फरोशी का धंधा 1 काबू

Admin

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની સામે વધુ એક ફરિયાદ, પૂર્વ કેબિનેટ મંત્રીના ભાઇનો બંગલો પચાવી પાડવાનો કર્યો હતો પ્રયાસ!

Karnavati 24 News

વ્યારામાં ઇંગ્લીશ દારૂની 72 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો, બે વોન્ટેડ

Karnavati 24 News

આશિષ ભાટીયાનો દાવો : અસરકારક કામગીરી, ટેકનોલોજીના કારણે ખૂન, હુમલા, બળાત્કાર સહિતની ગુનાખોરીને અંકુશમાં લેવામાં સફળતા

Karnavati 24 News