Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

જો તમે પણ બજારમાંથી ઘી ખરીદતા હોય તો થઈ જાવ સાવધાન: રાજકોટમાંથી ડુપલીકેટ ઘી બનાવતું કારખાનું ઝડપાયું

હવે લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું છે બજારમાંથી હવે ઘી પણ શુદ્ધ નથી મળી રહ્યું. પૈસા કમાવા વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે. રાજકોટના તરઘડિયા ગામમાંથી ભેળસેળિયું ઘી બનાવી વેચતા કારખાનું ઝડપાયું. ૧૩ લાખનાં ડુપ્લીકેટ ઘી નો જથ્થો જપ્ત કર્યો. મળતી માહિતી અનુસાર એલસીબીના ઈન્ચાર્જ પીએસઆઈ આર.એચ. કોડીયાતરે સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે કૃષ્ણા ફેટ એન્ડ પ્રોટીન નામના કારખાનામાં દરોડો પાડતા ત્યાંથી પ્યોર થી લખેલા 100 એમ.એલ.ના 480 ડબ્બા, 200 એમ.એલ.ના 480 ડબ્બા, 500 એમ.એલ.ના 289 ડબ્બા, એક લિટરના 240 ડબ્બા, પાંચ લિટરના 24 ડબ્બા મળી આવ્યા હતા.આ ઉપરાંત પ્યોર ઘી જેની ઉપર લખેલું હતું તેવી એક્સપાયરી ડેટના 200 એમ.એલ.ના 40 ડબ્બા, 500 એમ.એલ.ના 101 ડબ્બા, એક લિટરના 41 ડબ્બા અને 15 લિટરનો એક ડબ્બો મળ્યો હતો. એટલું જ નહીં સ્ટીકર વગરના ઘી જેવો પદાર્થ જણાતા 15 લિટરના 136 ડબ્બા ઉપરાંત વેજ. ફેટ લખેલા 15 લિટરના 300 ડબ્બા મળી આવતા આ રીતે કુલ 13.18 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે ફુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને જાણ કરતા તેઓ પણ સ્થળે દોડી આવી ડુપ્લીકેટ ઘીના નમૂના લીધા હતા. જેનો રિપોર્ટ આવ્યા બાદ કેસની કરવાની કાર્યવાહી કરવામાં આવવા હોવાનું જણાવ્યું હતું. ઉલેખનિય છે કે, આ જ કારખાનામાંથી 2021ની સાલમાં પણ ભેળસેળયુક્ત થી ઝડપાયું હતું . જે અંગે 2022ની સાલમાં કારખાના માલિક મુકેશ શિવલાલ નથવાણી (ઉં.વ.52, રહે.બાપાસીતારામ ચોક, નંદનવન ફ્લેટ પાસ, મવડી) વિરૂદ્ધ ફુડ એન્ડ ડ્રગ વિભાગે કેસ કર્યો હતો તેમ પોલીસે જણાવ્યું હતું. આજે ઝડપાયેલા મુદ્દામાલ અંગે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ કારખાના માલિક સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આજે પોલીસે કરેલી પ્રક્રિયા અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરી કારખાના માલિકને તપાસના કામે જરૂર પડે ત્યારે આવવા માટે નોટીસ આપી હતી.

संबंधित पोस्ट

फ़िरोज़पुर में एक विवाह समरोह के चलते पैलेस में हुई मामूली झड़प में एक व्यक्ति की तेज़धार हथियारों से हमला करके की गई हत्या

Admin

पति ने बेवफाई की तो पत्नी ने रचाई 9 शादियां, बियर बार में पकड़ी गई

Admin

પાકિસ્તાની ઘૂસણખોરની ભારતમાં ધરપકડ મામલામાં નુપુર શર્માને મારવાનો થયો ખુલાસો, મળી આવ્યો નકશો

Karnavati 24 News

પ્રાંતિજ ના નનાનપુર ખાતે જમીન ખેડવા ને લઈ ને ફાયરીંગ કરી મહિલાને બચકુ ભર્યુ

અરરિયામાં એસપીના આવાસથી 250 મીટરના અંતરે બેંક લૂંટ: BOIમાં 5 ડાકુઓએ ગાર્ડની રાઈફલ તોડી, બંધક બનાવી 52 લાખ લૂંટ કરી

Karnavati 24 News

મધરાતે આદિવાસી દંપતી પર હમલો કરી ચાર શખ્શોએ લૂંટ આદરી: લુટેરાઓને પકડવા પોલીસનું સઘન ચેકીંગ

Karnavati 24 News