Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જામનગર પોલીસ દ્વારા શહેર, જિલ્લાના અસામાજિક તત્ત્વોની ઓળખ કરી તમામ શખ્સોના ગુનાહિત ઈતિહાસની માહિતી એકત્ર કરવામાં આવી



(જી.એન.એસ) તા. 19

જામનગર,

ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના આદેશ અનુસાર રાજ્યની પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કુલ 7612 શખ્સોની યાદી તૈયારી કરી છે, ત્યારે જામનગર શહેર અને જિલ્લાના અસામાજિક તત્ત્વોને ઓળખ કરીને છેલ્લા બે દિવસથી જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું છે. જિલ્લા પોલીસ વડા સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરી રહ્યા છે, ત્યારે પોલીસે જામનગરમાંથી 285 અસામાજિક તત્ત્વોની ઓળખ કરીને તમામ શખ્સોના ગુનાહિત ઈતિહાસની માહિતી એકત્ર કરવામાં આવી હતી. 

જામનગર શહેર અને જિલ્લામાંથી અસામાજિક તત્ત્વોને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. જેમાં પોલીસની અલગ-અલગ ટીમ બનાવીને આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા 24 કલાકમાં શહેરમાંથી 46 અસામાજિક તત્ત્વોને એલસીબીની કચેરી ખાતે હાજર કરવામાં આવ્યા હતા. બુધવારે જિલ્લા પોલીસવડા તમામ અસામાજિક તત્ત્વોની પૂછપરછ કરવાની સાથે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. જેમાં એસપીએ જણાવ્યું હતું કે, ‘શહેરમાં કોઈપણ ટપોરીગીરી કરતા જોવા મળશે, તો આવા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’

જામનગર પોલીસ વિભાગ દ્વારા શહેર અને આસપાસના વિસ્તારોમાં સરકારી જમીનમાં માથાભારે શખ્સોએ કરેલાં ગેરકાયદે દબાણને દૂર કરવાને લઈને વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ મામલે એલસીબીની કચેરી ખાતે ખાસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો. જ્યારે આગામી દિવસોમાં અસામાજિક તત્ત્વો દ્વારા કરાયેલા ગેરકાયદેસરના દબાણોને લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

संबंधित पोस्ट

આજ નું પંચાંગ (15/09/2025)

Gujarat Desk

મધ્યપ્રદેશથી અફીણ લઇને આવેલો કેરિયર ઝડપાયો, પોલીસે ૬.૦૯ કિલો અફીણ આરોપીઓ પાસેથી કબજે કર્યો

Gujarat Desk

જામનગરમાં ઇન્ડિયન એરફોર્સના 9 હોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભૂત કરતબો

Gujarat Desk

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે આજે રાજભવનમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં કૃષિ વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ

Gujarat Desk

હોળી તથા ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને તારીખ ૧૦ માર્ચ થી ૧૬ માર્ચ ૨૦૨૫ દરમ્યાન વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે

Gujarat Desk

ભરૂચ:ઉનાળાની શરૂઆત સાથે જ જળ ઓછાં થતા કાંઠા છોડતી નર્મદા નદી,અનેક સ્થળે નદી સુકાઈ

Karnavati 24 News