Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો



(જી.એન.એસ) તા.૧૫

જામનગર,

આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જામનગર  નજીક દરેડમાં તેમજ પડાણામાં મકરસંક્રાંતિ જેવા તહેવારના દિવસે ગળાફાંસા દ્વારા આત્મહત્યા ના બે કિસ્સાઓ બન્યા છે અને એક પરપ્રાંતિય તરુણી તેમજ એક યુવાને આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ જામનગર નજીક દરેડમાં રહેતી અંબા દેવી સીતારામ જોશી નામની 15 વર્ષની તરુણીએ ગઈકાલે પોતાના ઘરે લોખંડની આડશમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે મૃતકના કુટુંબી રવિભાઈ બાબુભાઈ જોશીએ પોલીસને જાણ કરતાં પંચકોસી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત લાલપુર તાલુકાના પડાણામાં રહીને મજૂરી કામ કરતા તરુણ કુમાર સુકુમાર સાત્રા નામના 37 વર્ષના બંગાળી યુવાને ગઈકાલે પોતાના રૂમમાં વાંસના બાબુ સાથે મફ્લર બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. જે બનાવ અંગે તેની સાથે રહેતા રવિન્દ્રનાથ બંગાળી પોલીસને જાણ કરતાં મેઘપર પડાણાના .એસ.આઈ.વી.સી. જાડેજા બનાના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેણે કયા સંજોગોમાં આપઘાત નું પગલું ભરી લીધું, તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

રાજ્યકક્ષાના ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં કરાઈ ઉજવણી

Karnavati 24 News

અમદાવાદના સરદારનગરમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો; ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીને ઝડપી પાડયા

Gujarat Desk

સુરત જીલ્લાના ઓલપાડમાં 4 વર્ષની બાળકી પ્લાસ્ટીકના ભુંગળામાં ફસાઈ જતા મોત નીપજ્યું

Karnavati 24 News

સેવા ક્ષેત્રના પીએમઆઈમાં ઘટાડો, છતાં ક્ષેત્રમાં વૃદ્ધિની ગતિ જળવાઈ…!!

Gujarat Desk

દસાડાના વણોદ ગામે યુવક પર ચાર શખ્સનો લાકડી વડે હુમલો, શખ્સે દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

Gujarat Desk

હવામાન વિભાગે આગામી 1 જૂન સુધી હળવાથી ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં ઍલર્ટ જાહેર

Gujarat Desk