Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી ગીતા લોજ બિલ્ડિંગનો જર્જરિત ભાગ અચાનક ધરાશાયી થતાં ભારે દોડધામ મચી ગઈ 

(જી.એન.એસ) તા. 15

જામનગર,

શહેરમાં એક મોટી જાનહાની ટળી હતી જેમાં જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી ગીતા લોજ બિલ્ડિંગનો એક જર્જરિત ભાગ અચાનક ધરાશાયી થતાં આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ ઘટના મામલે મળી માહિતી અનુસાર, બીજા માળે બિલ્ડિંગનો કેટલોક હિસ્સો એકાએક નીચે પડ્યો હતો. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનોના સંચાલકોએ પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક પોતાની દુકાનો બંધ કરી દીધી હતી.

આ ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાનું તંત્રમાં એસ્ટેટ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું. હાલમાં, બિલ્ડિંગનો હજુ પણ કેટલોક ભાગ જર્જરિત હોવાથી વધુ કોઈ દુર્ઘટના ન બને તે માટે આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. અને જર્જરિત ભાગને તોડી પાડવાની કામગીરી શરૂ કરે દેવાઈ છે.

સાથેજ, સિટી બી ડિવિઝન પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને નિયંત્રિત કરી હતી. આ ઘટનાએ શહેરની જૂની અને જર્જરિત ઇમારતોની સુરક્ષાનો પ્રશ્ન ફરી ઊભો કર્યો છે. તંત્ર દ્વારા આગામી સમયમાં આવી ઇમારતો સામે શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.

संबंधित पोस्ट

વૈશ્વિક કોમોડિટીના ભાવો વર્ષ ૨૦૨૬માં છ વર્ષના તળિયે પહોંચશે : વર્લ્ડ બેંકનો અંદાજ

Gujarat Desk

હીરાબાગ ખાતે રામેશ્વર સોસાયટીમાં રહેતી ૨૪ વર્ષીય જાનવી મહેશભાઇ વધાસીયા નવી સિવિલમાં ઇન્ટન ડોકટર તરીકે ફરજ બજાવતી હતી

Gujarat Desk

પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતો ખોરાક સ્વાસ્થ્યવર્ધક; આવનારી પેઢીને સ્વસ્થ જીવન આપવાની ગેરંટી આપે છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Gujarat Desk

મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકોના ડૂબી જવાથી મોત, ૧૩ લોકો ગુમ

Gujarat Desk

રાજ્યમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત ‘શાળા પ્રવેશોત્સવ’ આગામી તા. ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે: પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

યુકેમાં મોટરસાઇકલ ચોરાઈ ગયા બાદ ભારતીય બાઇકર યોગેશ અલેકારીનો વિશ્વ પ્રવાસ અટકી ગયો

Gujarat Desk