Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગીર સોમનાથના તાલાલા પંથકમાં સવારે ભૂકંપના 3 આંચકા અનુભવાયા



(જી.એન.એસ) તા. 24

ગીર સોમનાથ,

ગીર સોમનાથના તાલાલા પંથકમાં સવારે એક બાદ એક તેમ કૂલ ત્રણ ભૂકંપના આંચકા આવતા લોકો ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. હાલ કોઈ જાનહાનિની માહિતી પ્રાપ્ત થઈ નથી.

ગીર સોમનાથના તાલાલા પંથકમાં એક બાદ એક ત્રણ ભૂકંપના આંચકા આવ્યા હતા. વહેલી સવારે 7:13 મિનિટે 2.1ની ભૂકંપની તીવ્રતાનો પહેલો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 11 કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ પર નોંધાયું હતું. સવારે 7:15 મિનિટે 1.9ની ભૂકંપની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. બીજા આંચકાનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 12 કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ હતું, જ્યારે સવારે 7:17 મિનિટે 2.3ની ભૂકંપની તીવ્રતાનો ત્રીજો આંચકો અનુભવાયો હતો. ત્રીજા આંચકાનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 12 કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ નોંધાયું છે. ધરા ધણધણી ઉઠતા પંથકના લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. એક બાદ એક ત્રણ આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

ગુજરાતમાં 2024માં ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા હતા. જેમાં જાન્યુઆરીમાં 2, ફેબ્રુઆરી-ઑક્ટોબરમાં 1-1, નવેમ્બરમાં 8 જ્યારે ડિસેમ્બરમાં અત્યાર સુધી 1 આંચકાનો સમાવેશ થાય છે. જેની સરખામણીએ ગત વર્ષે 2023માં 5, 2022માં 1 જ્યારે 2021માં 7 આંચકા નોંધાયા હતા. એક જ વર્ષમાં એકસાથે 13 આંચકા આવેલા હોય તેવું છેલ્લા 12 વર્ષમાં બન્યું નથી.

संबंधित पोस्ट

ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ભારત મોસ્કોથી ઉર્જા આયાત ચાલુ રાખશે તો તેને વધુ દંડનો સામનો કરવો પડી શકે છે

Gujarat Desk

પ્રાકૃતિક કૃષિ સંદર્ભે જામનગરના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂત ટ્રેનર્સ સાથે  રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની સમીક્ષા બેઠક

Gujarat Desk

ગુજરાતની પ્રજાનો વિશ્વાસ સરકાર અને PMJAY-મા યોજના પર અકબંધ છે : આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

કેન્‍દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ જમ્મુની નઈ બસ્તી વિસ્તારમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી; અખનૂરના સરહદી પર્ગવાલ વિસ્તારનો પણ પ્રવાસ

Gujarat Desk

દાહોદના બોરડી ઈનામી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભારત બ્લોક હેલ્થ મેળાનો પ્રારંભ કરાવતા સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર ,નાગરિકોએ મોટી સંખ્યામાં હેલ્થ મેળાનો લાભ લીધો

Karnavati 24 News

પંજાબ પૂર: આવતીકાલે પીએમ મોદી ગુરદાસપુરની મુલાકાત લેશે, પૂરગ્રસ્ત ખેડૂતો અને પરિવારોને મળશે

Gujarat Desk