Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

એક જ મહિનામાં 5 થી 7 કિલો વજન ઓછુ કરવા જલદી ફોલો કરો આ Diet Chart

આજકાલ વજન ઉતારવા માટે લોકો અનેક ઘણી મહેનત કરતા હોય છે, તેમ છતાં એમને જોઇએ એ પરિણામ મળતુ નથી. જો કે વજન ઉતારવા માટે લોકો જીમમાં જાય છે તેમજ ઘરે એક્સેસાઇઝ કરીને પોતાનું વજન ઉતારતા હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે એક્સેસાઇઝની સાથે-સાથે તમારો ડાયટ પ્લાન પણ બરાબર હોવો જોઇએ. તો વજન ઉતારવા માટે તમે પણ ફોલો કરો આ ડાયટ પ્લાન…

સવારમાં એક ગ્લાસ પાણી પીવો

સવારમાં હુંફાળા પાણીમાં તમે લીંબુનો રસ નીચોવીને પી લો. આ પાણી પીવાથી તમારી ચરબી ઓગળવા લાગે છે. આ સાથે જ તમારી ઇમ્યુનિટી પણ વધશે.

પ્રોટીન યુક્ત નાસ્ત કરો

નાસ્તામાં ગમે તે નહિં પરંતુ પ્રોટીન યુક્ત નાસ્તો કરવાની આદત પાડો. આમાં તમે રાજમા, ચણા, બીન્સની સાથે અંકુરિત સલાડ પણ ખાઇ શકો છો. આનાથી તમારા ખાવાની ક્રેવિંગ કંટ્રોલમાં રહેશે.

આ વસ્તુઓ ખાઓ લંચમાં

વજન ઉતારવા માટે તમે લંચમાં માત્ર એક વાટકી દાળ, 2 રોટલી અને ગ્રીન સલાડ ખાઓ.

સાંજની ચા

ઘણાં લોકોને સાંજની ચા પીવાની આદત હોય છે. એવામાં તમે ચા પીવાના શોખીન છો તો ચાની સાથે બે કુકીઝ ખાઇ લો. કુકીઝમાં ખાંડનું પ્રમાણ ઓછુ હોવું જોઇએ. આનાથી તમારું પેટ ભરાઇ જશે અને તમને ભૂખ પણ નહિં લાગે.

સાંજનો નાસ્તો

સાંજના નાસ્તામાં તમે મેકરોની, પાસ્તા, સેન્ડવીચ જેવી વસ્તુઓ ખાઇ શકો છો. પરંતુ આ તમારે વધારે પ્રમાણમાં ખાવાનું નથી. આમાં ઓઇલી અને મસાલાનું પ્રમાણ વધારે ના હોવું જોઇએ.

ડિનર માટે

તમે ડિનરમાં રોટલીને સ્કિપ કરી દો. ડિનરમાં તમારે એક જ જગ્યાએ બેસીને 1 કપ ભાત અને દહીં ખાવાનું રહેશે. જો તમે ઇચ્છો તો રાયતુ પણ ખાઇ શકો છો. આ ડિનર તમારા શરીરમાં પ્રોબાયોટિક જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરે છે. આ સાથે જ પેટમાં ઠંડક પણ થાય છે.

संबंधित पोस्ट

ઊનાના નવાબંદર ગામે ગટર યોજનાનું ચાલુ કામ બંધ થતા ગામનું બધેય પાણી ખુલ્લી ગટરોમાં ભરાતાં ગ્રામજનોમાં રોષ

Karnavati 24 News

દરરોજ 30 મિનિટ માટે ડાન્સ કરો અને આ રોગોને ‘ગુડબાય’ કહો.

Karnavati 24 News

ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે જે ઘરમાં આ વસ્તુઓ હોય, તેના ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી..

Karnavati 24 News

કરિયર જન્માક્ષર 22 ઓગસ્ટ: આ રાશિના લોકો કરશે તેમની કારકિર્દીમાં નવી શરૂઆત, આ લોકો લેશે ટૂંકો વિરામ

Karnavati 24 News

ડાબા પડખે ઊંઘવાથી નથી થતી આ તકલીફો, ફાયદાઓ જાણીને તમે પણ છક થઇ જશો

Karnavati 24 News

હજુ પણ તમે ઘરમાં એસી ચાલુ કરો છો? તો આજથી જ કરી દેજો બંધ, જાણો કેમ

Karnavati 24 News