Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

આગામી તા.૧૨/૦૯/૨૦૨૨ સુધી અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા ખાસ ઝુંબેશ

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન નોંધણી અને સુધારા કરવાની સુવિધા ઉપલબ્ધ

આગામી તા.૧૨/૦૯/૨૦૨૨ સુધી અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા ખાસ ઝુંબેશ

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત આગામી તા.૧૧/૦૯/૨૦૨૨ સુધી અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કેટલાક ફેરફરો કરવામાં આવ્યા છે. આ ફેરાફારોના કારણે હવે વર્ષમાં ૦૪ તારીખોએ ૧૮ વર્ષ પૂર્ણ કરનારા ઉમેદવારો મતદાર તરીકે પોતાનું નામ નોંધાવી શકે છે.  અગાઉ ફક્ત ૦૧/૦૧ના પરિપ્રેક્ષ્યમાં આ યાદી તૈયાર કરવામાં આવતી હતી. આ ફેરફારના કારણે પ્રથમવાર મતદાર તરીકે લાયક થનારા મતદારોની સંખ્યા વધશે. અમરેલીમાં આ તારીખો અંતર્ગત મેચ્યોર થતા યુવક-યુવતીઓ મતદાર તરીકે નોંધાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

ચૂંટણીપંચ દ્વારા મતદારોને ઓનલાઈન નોંધણી અને સુધારણા માટે સુવિધા આપવામાં આવી છે. ઓનલાઈન પોર્ટલ  https://www.nvsp.in/  www.voterportal.eci.gov.in  voter helpline mobile app (ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે) અને GARUDA APP (BLO) મારફતે ઉપયોગમાં લઈ શકાશે.  આ વેબસાઈટ/એપ્લિકેશન પરથી મતદાર યાદીમાં નામોની નોંધણી થશેનવા મતદાર તરીકે નોંધણી કરાવી શકાશેમતદાર યાદીમાં વિગતોમાં સુધારો કરી શકાશેનવા મતદારો માટે ઈ-એપિક ડાઉનલોડ કરવાની સુવિધાઓ આપી શકાશે.  આ ઉપરાંત ઓનલાઈન કરવામાં આવેલી અરજીનું સ્ટેટસ પણ જાણી શકાશે. ફોર્મ ૬-b  ભરીને ચૂંટણી કાર્ડ સાથે પોતાનું આધાર લીંક કરાવી શકશે. આ ઉપરાંત ૧૯૫૦ હેલ્પલાઇન નંબર પરથી પણ માહિતી મેળવી શકાશે.

संबंधित पोस्ट

54મી KVS રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ – અંડર-14, 17 અને 19 (વિદ્યાર્થી-વિદ્યાર્થિની માટે)

Gujarat Desk

નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા જુલાઈ-૨૦૨૫થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ ૧૫ પૈસાનો ઘટાડો કરાયો: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ

Gujarat Desk

આજનું રાશિફળ (૨૨/૦૧/૨૦૨૬)

Gujarat Desk

સંયુક્ત સંરક્ષણ સેવા પરીક્ષા (II), 2025ના લેખિત પરિણામની જાહેરાત

Gujarat Desk

સરકારી તંત્ર- નાગરિકો વચ્ચે આયોગે સેતુરૂપ કામ કરીને RTI અંગેના કેસોનો  ઝડપી ઉકેલ લાવી ગુજરાતને અગ્રીમ હરોળનુ રાજ્ય બનાવ્યું :- ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

J&Kના ઉધમપુરમાં ગોળીબારમાં એક પોલીસ કર્મચારી શહીદ થયા બાદ સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓની શોધખોળ તીવ્ર બનાવી

Gujarat Desk