Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશરાજકારણસ્થાનિક સમાચાર

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદે હાલમાં સાંસદમાં રજૂ થયેલા બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી.જેમાં નવું બજેટ દરેક વર્ગના લોકોને લાભકર્તા હોવાનુ જણાવ્યુ હતુ.જ્યારે દેશભરમાં વર્ષ ૨૦૨૪ સુધીમાં ૧.૫૦ લાખ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.
… આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરમાં હાલ કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા ઉપસ્થિત છે. ત્યારે તેઓએ હાલમાં રજૂ કરાયેલા વર્ષ ૨૦૨૨ ના બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી.જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશ પ્રગતીના પંથે છે. નાણામંત્રી નિર્મળા સીતારામને રજૂ કરેલ બજેટ દેશના દરેક વર્ગને આવરી લેતા અને લાભકર્તા હોવાનુ જણાવ્યુ હતુ.જ્યારે આ અગાઉનુ બજેટ જે ૨૮ લાખ કરોડનું હતુ તે ૩૫% ના વધારા સાથે હાલ ૩૯ લાખ કરોડનું થયુ છે. નેશનલ આયુસ મીશન અંતર્ગત દેશભરમાં વર્ષ ૨૦૨૪ સુધીમાં નવા ૧.૫૦ લાખ હેલ્થ સેન્ટરો શરૂ કરવામાં આવશે. જેમાં આયુષને લગતા સેન્ટરો પણ બનાવાશે જેથી લોકોને તબીબી સારવાર માટે સુવિધાનો વધારો થશે તેમ જણાવ્યું હતું. આ તકે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ વર્ષાબેન દોશી, નરેશભાઈ કૈલા, હાર્દિકભાઈ ટમાલીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

અમદાવાદમાં જીએસટી ક્રોપ સાયન્સ કંપનીમાં એમોનિયા લીકેજ થતા ભારે અફરાતફરી

Karnavati 24 News

અમદાવાદમાં કુખ્યાત કાલુ ગરદન વિરુદ્ધ મોટી કાર્યવાહી; જુહાપુરા વિસ્તારમાં ઘરને તોડી પાડવામાં આવ્યું 

Gujarat Desk

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર માંથી લાખો ની કિંમત નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Karnavati 24 News

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ખાતે “પર્યાવરણ, આરોગ્ય અને કૃષિ માટે બાયોકેમિસ્ટ્રી અને નેનોટેકનોલોજી” વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન થયું

Gujarat Desk

એર ઇન્ડિયાએ બોઇંગ 787 વિમાનોમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચોનું નિરીક્ષણ શરૂ કર્યું

Gujarat Desk

પંજાબ કેબિનેટે લેન્ડ પૂલિંગ પોલિસીને ડિનોટિફાઇ કરવા માટે મંજૂરી આપી

Gujarat Desk