Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

સમાજવાદી પાર્ટીને ઝટકો, મુલાયમ યાદવના પુત્રવધુ અપર્ણા ભાજપમાં જોડાયા

અપર્ણા યાદવ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અપર્ણા સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યાદવની પુત્રવધુ છે. ભાજપમાં જોડાયા બાદ અપર્ણા યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી. અપર્ણાએ એમ પણ કહ્યુ કે રાષ્ટ્રધર્મ તેમની માટે સૌથી ઉપર છે.

અપર્ણા યાદવે ગુંડાગર્દીનો ઉલ્લેખ કરતા સપા પર નિશાન સાધ્યુ હતુ, તેમણે કહ્યુ કે, “સપાના શાસનમાં ગુંડાગર્દીને એટલુ મહત્વ આપવામાં આવતુ હતુ કે, બહેન-દીકરી સુરક્ષિત નહતી. સાંજ થતા જ ઘરના દરવાજા બંધ થઇ જતા હતા. મારી માટે રાષ્ટ્ર સૌથી જરૂરી છે, માટે હું હંમેશા વડાપ્રધાનથી પ્રભાવિત રહી છું.” આ દરમિયાન કેશવ પ્રસાદ મોર્યએ કહ્યુ કે, રાજ્યના મુખ્યમંત્રીના રૂપમાં અખિલેશ નિષ્ફળ રહ્યા છે, સાથે જ તે પરિવારમાં પણ નિષ્ફળ છે. આ કારણે તે વિધાનસભા ચૂંટણી લડવાથી પણ બચી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે અપર્ણા યાદવ લખનઉં કૈંટ બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હતા પરંતુ સમાજવાદી પાર્ટીમાં રહેતા એવુ થઇ શકતુ નહતુ. અખિલેશ યાદવ બોલી ચુક્યા હતા કે તે પરિવારના કોઇ સભ્યને ટિકિટ આપવાના નથી. જેને લઇને અપર્ણા અને અખિલેશ યાદવ વચ્ચે ટકરાવ શરૂ થયો હતો. તે પછી એવા સમાચાર આવ્યા કે અપર્ણા ભાજપના નેતાઓના સંપર્કમાં છે અને જલ્દી પાર્ટી છોડી ભાજપમાં સામેલ થઇ શકે છે, જેને હવે અપર્ણાએ સાબિત કરી દીધુ છે.

संबंधित पोस्ट

રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ: ભીડ વાયનાડની ઓફિસમાં ઘૂસી; કોંગ્રેસનો આરોપ – SFIના લોકોએ હુમલો કર્યો, સ્ટાફ સાથે પણ મારપીટ કરી

Karnavati 24 News

ભાજપ સંગઠનના હોદ્દેદારો અને નગર સેવકોના કરતુતો લઈ આવ્યા હતા પ્રભારી . . .

Karnavati 24 News

Testing Article Test Article Test Article Test Article Test Article

નારગોલ ગ્રામ પંચાયતનો અનોખો નિર્ણય: નવા બનેલા મકાનમાં શૌચાલય છે કે કેમ તેની ખાતરી બાદ પંચાયતમાં મકાન નોંધણી કરવામાં આવશે

Karnavati 24 News

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

Karnavati 24 News

 ઓમિક્રૉનના કેસ વધતા 12 રાજ્યમાં ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી પર રોક

Karnavati 24 News