Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વડોદરા ના ડેસર તાલુકા માં :સર્કસમાં ખેલ કરનારા કલાકારો સાથે જિંદગીએ પણ ખેલ ખેલ્યો

સર્કસમાં નૃત્ય ઉપરાંત બાઇક જંપ કરાવીને પ્રેક્ષકોનું મનોરંજન કરતો હતો. સર્કસો હવે મૃતપાય હાલતમાં થતાં ઘરે પાછું આવવું પડ્યું. વતનમાં આવ્યા પછી અકસ્માત થતાં બંને પગ ફ્રેક્ચર થયા. તેથી હવે હું બેકાર અને મજબૂર બની ગયો છું. 7 ઓપરેશન કરાવ્યા. એક પગ કાપી નાખ્યો. કૃત્રિમ પગ લગાવીને મારે ચાલવું છે. પરંતુ બંને પગની નસો ચોંટી ગઈ છે. તેથી પગ સીધા થતા નથી. હજુ સારવારની જરૂર છે. પરંતુ મારી પાસે હવે રૂપિયા નથી. -અલ્લારખા શેખ, સર્કસ કલાકાર, ડેસર

આપણા દેશમાં સર્કસનો ખુબ જુનો ઇતિહાસ રહેલો છે. નાનકડું ગામ હોય કે શહેર પ્રત્યેક વ્યક્તિ સર્કસ નિહાળવાનો આનંદ માણતા હતા. પરંતુ વર્તમાન સમયમાં તે આનંદ આ કોમ્પ્યૂટર યુગમાં મોબાઇલ, ઇન્ટરનેટે ખૂંચવી લીધો છે. તેથી સર્કસ લુપ્ત થતું જોવા મળી રહ્યું છે અને તેમાં સંકળાયેલા કલાકારોની અવદશા થઇ છે. અધૂરામાં પૂરું સર્કસમાં પશુઓ રાખી બતાવાતા કરતબો પર વર્ષ 2001માં પ્રતિબંધ લગાવાયો હતો. બાદ સર્કસ પ્રત્યેનો ક્રેજ પ્રજામાં ઓછો થવા લાગ્યો હતો. પરંતુ સર્કસના ચમક દમક વાળા વસ્ત્રો પરિધાન કરી ઉત્સાહી કલાકારોના કરતબો જોવા માટે કેટલાક સર્કસ રસિયાઓ તેને પસંદ કરતા હતા. તેમાં પણ ક્રેઝ ઓછો થતાં સર્કસથી સંકળાયેલા કલાકારોની ‘મા મને કોઠીમાંથી કાઢ’ જેવી દશા થઇ છે. ડેસરના કલાકારોની પણ આવી જ વાત છે. પ્રાપ્ત વિગતો મુજબ આશરે 35થી 40 વર્ષ પહેલાં ડેસરના આદમભાઈ આઇ શેખ સર્કસમાં કામ કરવા ગયા હતા. તેઓએ આખું જીવન સર્કસનાં તંબુમાં પસાર કરી નાખ્યું હતું. છેલ્લે માદરે વતન ડેસરમાં આવી નજીવી બિમારીમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના બે દીકરાઓ અલ્લારખા શેખ અને અનવર શેખ પણ પિતા સાથે સર્કસમાં કલાકારી કરી ગુજરાન ચલાવતા હતા. બંનેના લગ્ન પણ સર્કસમાં જ સહ કલાકાર સાથે કરી નાખ્યા હતા. તેમનો આખો પરિવાર સર્કસ ઉપર નિર્ભર હતો. પરંતુ સર્કસ જોવાવાળાઓની સંખ્યા દિનપ્રતિદિન ઘટતાં આખરે સર્કસને અલવિદા કહી પરિવાર સહિત ઘર વાપસી કરી હતી. બાપ દાદાના જૂનાં મકાનની મરામત કરી પરિવાર રહેવા લાગ્યો હતો.પરંતુ ધંધો શું કરવો તેની મૂંઝવણ સતાવતી હતી.

संबंधित पोस्ट

દુબઈના મશહૂર ઈન્ડિયન આર્ટિસ્ટ શ્રી અકબર સાહેબ દ્વારા તેમના વ્યક્તિત્વ અને તેમણે કરેલા કાર્યોના કેનવાસ અને વોટર ક્લર પેઇન્ટિંગ નો પ્રદર્શન કાર્યક્રમ આર્ટ ગેલેરી સાયન્સ સેન્ટરમાં રાખવામાં આવ્યું

યશવંત સિંહા હશે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારઃ TMCમાંથી રાજીનામું, કહ્યું- હું મોટા હેતુ માટે અલગ થવા માંગુ છું

Karnavati 24 News

ગાયક કલાકાર અને ભાજપ નેતા વિજય સુવાડાએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી, બાયડમાં નવરાત્રી મહોત્સની મુલાકાત દરમિયાન નિવેદન

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News

‘ખેલ-તમાશો થયો?’ શત્રુઘ્ન સિંહાએ ગુજરાતની જીત પર પીએમ મોદીને આપ્યા અભિનંદન, સવાલો પણ ઉઠાવ્યા

Admin

સીએમ ગેહલોતના ભાઈ પર બે વર્ષમાં બીજો દરોડોઃ અગ્રસેન ગેહલોત પર સીબીઆઈના દરોડા, 2020માં EDએ પણ કાર્યવાહી કરી

Karnavati 24 News