Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

દેશ સેવાના સંસ્કાર સાથે ઉમરગામના ધિમસાકાકરીયાના યુવાને પરિશ્રમ અને સંઘર્ષ કરી ભારતીય સેનામાં સ્થાન મેળવ્યું 

(જી.એન.એસ) તા. ૨૦

વલસાડ,

જીલ્લા માટે ગૌરવની વાત, બાળપણથી જ અભ્યાસની સાથે એનસીસીમાં જોડાય દેશ સેવાના સંસ્કાર સાથે ઉમરગામના ધિમસાકાકરીયાના યુવાને સતત પરિશ્રમ અને સંઘર્ષ કરી ભારતીય સેનામાં સ્થાન મેળવ્યું છે. નાસિક ખાતે યોજાયેલા સમારોહમાં યુવાનને ગૌરવ પદક એનાયત કરાયો હતો. આર્ટિલરી સેન્ટરમાં ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ રાજસ્થાનના અલવર ખાતે ફરજ બજાવશે. 

વલસાડ જીલ્લાના છેવાડાના ઉમરગામ તાલુકાના સંજાણ નજીકમા ધીમસા કાંકરીયા ગામે હીરાલાલ ગુપ્તા પરિવાર સાથે રહેછે. તેમાં બે પુત્રો પૈકી 22 વર્ષીય પુત્ર રોહન ગુપ્તાએ એમકોમ પાર્ટ-1 સુધીનો અભ્યાસ કર્યો છે. જો કે અભ્યાસની સાથે તેણે એનસીસીમાં જોડાઈ દેશ સેવાના સંસ્કારો મેળવ્યા હતા. રોહને દેશસેવા કરવાના ધ્યેય અને લક્ષ્યાંક સાથે ભારે પરિશ્રમ સાથે સફળતા મેળવવા સફરની શરૂઆત કરી હતી. સતત મહેનતની સાથે આગળ વધી તેણે ભારતીય સેનામાં સ્થાન મેળવવા કોમ્પ્યૂટર અને સૌથી કપરી એવી ફિઝીકલ ટેસ્ટ સળતા પૂર્વક આપી સારા ગુણ મેળવ્યા હતા.

સાથેજ રોહને ભારતીય સેનાની બંને કસોટીમાં સફળતા મેળવતા આખરે તેની ભારતીય સેનામાં પસંદગી કરાઈ હતી. ભારતીય સેનામાં ફરજ બનાવતા પહેલા નાશિક ખાતે આર્ટિલરી સેન્ટર ખાતે 6 માસની તાલિમ મેળવવા ગયો હતો. ગઈકાલે શુક્રવારે આર્ટિલરી સેન્ટર ખાતે યોજાયેલા સમારોહમાં રોહન ગુપ્તાને ગૌરવ પદક એનાયત કરાયો હતો. આ દ્રશ્યને લઈ પરિવારજનો ભાવવિભોર બની ગયા હતા. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ આગામી સમયમાં રાજસ્થાનના અલવર ખાતે ફરજ પર હાજર થશે.

ટેલીફોનીક વાતચીત દરમિયાન રોહન ગુપ્તાના પિતા હીરાલાલ ગુપ્તા ભાવવિભોર બની પુત્રની સિધ્ધી બદલ ખુશી વ્યકત કરતા જણાવ્યું કે, રોહને પોતાના અભ્યાસની સાથે ભારતીય સેનામાં સ્થાન મેળવવા ઠંડી, તડોક કે વરસાદની પરવા કર્યા વિના સંજાણ ખાતે આવેલા મેદાનમાં કલાકોના કલાકો સુધી મહેનત કરતો હતો. તેની મહેનતને કારણે આજે દેશની સેવા કરવાનો તેનો મોકો મળ્યો છે તેમ જણાવ્યું હતું.

संबंधित पोस्ट

અસરગ્રસ્ત નાગરિકો સુધી પુરવઠો હજુ પણ પહોંચવામાં નિષ્ફળ જતાં નેતન્યાહૂ ગાઝામાં સહાય પહોંચાડવાનું શરૂ કરવાની યોજના ધરાવે છે

Gujarat Desk

પોલેન્ડ દ્વારા જર્મની, લિથુઆનિયા સાથેની સરહદો પર નિયંત્રણો શરૂ કરશે

Gujarat Desk

પ્રધાનમંત્રી મોદી ત્રિપુરામાં: પ્રધાનમંત્રી ઉદયપુરમાં માતા ત્રિપુરા સુંદરી મંદિર સંકુલમાં પ્રદર્શનની મુલાકાત લે છે

Gujarat Desk

ચારેય ચાર ધામ મંદિરોના પરિસરમાં મોબાઇલ ફોન અને કેમેરા લઈ જવા પર પ્રતિબંધ

Gujarat Desk

વર્ષ ૨૦૨૫માં વિશ્વ વન દિવસની થીમ “વનો અને ખોરાક” નક્કી કરાઇ

Gujarat Desk

 આણંદના 13 કેન્દ્ર પર GPSC ની પરીક્ષામાં 46.22 % છાત્રો હાજર

Karnavati 24 News