Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના સિંચાઈના પ્રશ્નો બાબતે બેઠક યોજાઈ

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના સિંચાઈના પ્રશ્નો બાબતે બેઠક યોજાઈ

જિલ્લા પંચાયત ઉપરાંત સિંચાઈ વિભાગની જિલ્લા કચેરીના સંબંધિત અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા

અધૂરા તળાવો અને ચેકડેમોનું નિર્માણરિપેરિંગ અને રિનોવેશન કાર્ય ખૂબ ઝડપથી આગળ વધારવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના

જિલ્લામાં સિંચાઈના નવા કામો પણ ઝડપથી સારી રીતે થાય તેવો નાયબ મુખ્ય દંડકશ્રીનો અભિગમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને, અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના સિંચાઈ પ્રશ્નો બાબતે સંબંધિત સિંચાઈ અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઈ હતી. જિલ્લામાં સિંચાઈ માટેના  તળાવો અને ચેકડેમોના નિર્માણની રિપેરિંગ અને રિનોવેશન કામગીરી અધૂરી હોય તો તેને લઈ અધિકારીશ્રીઓ સાથે નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ વિસ્તૃત ચર્ચા કરી હતી. જિલ્લામાં સૌની યોજના અંતર્ગત તળાવો પાણીથી ભરવા, નદીઓ પર ચેકડેમોનું બાંધકામ કરવું, સૌની યોજનામાં બાકી રહ્યા હોય તેવા ગામોનો સમાવેશ કરવો, ડેમોને પાળા બાંધવા, ખરાબામાં તળાવોનું બાંધકામ, ચેકડેમો ભરવા માટે કનેક્શન આપવા, સૌની યોજના અંતર્ગત સિંચાઈ માટે પાણી છોડવા ઉપરાંત ચેકડેમ, તળાવોના રિપેરિંગ, રિનોવેશન સહિતના અમરેલી જિલ્લાના પ્રશ્નોને લઈ નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ વધુ ગતિથી કામ આગળ વધે તે માટે અધિકારીશ્રીઓને જરુરી સૂચના આપી હતી. જિલ્લામાં સિંચાઈના નવા કામો પણ ખૂબ ઝડપથી સારી રીતે આગળ વધે તેવો નાયબ મુખ્ય દંડકશ્રીએ અભિગમ દાખવ્યો છે. જિલ્લાના સિંચાઈના પ્રશ્નો બાબતે મળેલી બેઠકમાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના સંબંધિત અધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

केदारनाथ बद्रीनाथ से लौटते हुए पीएम मोदी को उपहार !

Admin

રાજ્યસભામાં વડાપ્રધાને કરી ગર્જના, કહ્યું – આ દેશ કોઈ પરિવારની જાગીર નથી; આખો વખત લાગ્યા ‘મોદી-અદાણી ભાઈ-ભાઈ’ના નારા

Admin

વાપી પાલિકામાં 3.56 કરોડની પુરાણવાળું અંદાજિત 133 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું

Admin

કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલની વિવાદિત ટિપ્પણી, કહ્યું- ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલના પદ માટે મુસ્લિમો સહિષ્ણુતાનો મુખોટો પહેરે છે…!

भारत और बांग्लादेश ने मैत्री संधि के जरिए नये युग में प्रवेश किया ,जानिए 19 मार्च क्यों है खास

Karnavati 24 News

લુલા દા સિલ્વા ત્રીજી વાર બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, કહ્યું- ફાસીવાદના પ્રેમીઓ વિરુદ્ધ મળ્યો જનાદેશ

Admin