Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

કચ્છના 1.80 લાખથી વધુ ખેડૂતો પર આર્થિક બોજો વધ્યો : રાસાયણિક ખાતરના વધતા ભાવ નિયંત્રણમાં લાવવા રજુઆત

કચ્છમાં ખાતરના વધતા જતા ભાવના પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે , જેથી ભાવ વધારાને નિયંત્રણમાં લાવવા રાપરના ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે . તમામ ચીજવસ્તુઓમાં આવેલા ભાવવધારાના કારણે ખેતીનો ખર્ચ પુષ્કળ પ્રમાણમાં વધી જાય છે અને ખેતીમાં પુષ્કળ ખર્ચ કર્યા પછી પણ ખેડૂતોને પાકના પૂરતા ભાવ ન મળતાં નુકસાની વેઠવી પડે છે . અનિયમિત વીજળી અને પેટ્રોલ – ડીઝલના ભાવમાં આવેલા ઉછાળાના પગલે ખેડૂતોને ખેતીને લગતા સાધનો ચલાવવા મુશ્કેલ બન્યા છે . ભાવ વધારાથી કચ્છના અંદાજિત 1.80 લાખથી વધુ ખેડૂતો ઉપર આર્થિક બોજો વધી ગયો છે . જિલ્લામાં ઉનાળુ સિઝન માટે રોપાણનું કામ ચાલુ છે તેવામાં સલ્ફેટ ડી.ઈ.પી. સહિતના ખાતરના ભાવમાં 10 થી 15 ટકા એટલેકે , રૂ .150 થી રૂ .280 નો ડામ અપાયો છે . પેટ્રોલ – ડિઝલ , ખાતરના વધતા ભાવથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે . ખેતી પાછળ વધતા જતા ખર્ચની સામે આવક ઓછી થઇ જતાં ખેડૂતોની મુશ્કેલી વધી ગઇ છે . જો આવી સ્થિતિ રહી તો ખેડૂતોને ખેતી ક૨વી મોંઘી બનશે અને નાછૂટકે ખેડૂતો ખેતી કરવાનું મૂકી દેશે.

संबंधित पोस्ट

મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને નોકરી પરથી કરી રહી છે છૂટા, જાણો શું છે કારણ

Admin

માદરે વતન યોજના વિશે જાણો સંપૂર્ણ વિગત શુ છે આ યોજના

Karnavati 24 News

પાટણમાં બાળ સુરક્ષા કચેરી પાટણ દ્વારા અનાથ બાળકો તથા પાલકને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની સહાય કરવામાં આવી

Karnavati 24 News

હવામાનમાં પલટો, તડકાના કારણે તાપમાનમાં વધારો : તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો, સવારથી સૂર્યપ્રકાશને કારણે ગરમી અને ભેજનું પ્રમાણ વધ્યું

Karnavati 24 News

અમરેલી-વડીયાના કોલડા ગામે લૂંટના ઇરાદે ચોરીનો પ્રયાસ

Admin

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

Admin