Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આંતરરાજ્ય સરહદી વિસ્તારોમાં શાંતિ-સલામતી સાથે ચૂંટણીઓ યોજાય એ માટે બેઠક યોજાઇ

જિલ્લા સેવા સદન, દાહોદ ખાતેના  મીડિયા મોનીટરીંગ એન્ડ કન્ટ્રોલ રૂમની વડોદરા ઝોનના સંયુક્ત માહિતી નિયામક   રાજેન્દ્ર રાઠોડે મુલાકાત લીધી હતી. તેમણે અહીં કરાયેલ જિલ્લાની ચૂંટણીલક્ષી માહિતીના પ્રદર્શનનું પણ નિરીક્ષણ કર્યું હતું. અહીં કાર્યરત કર્મયોગીઓને તેમની જવાબદારીઓ વિશે પૃચ્છા કરી હતી તેમજ આ અંગેના રજીસ્ટરોની ચકાસણી કરી હતી. સંયુક્ત માહિતી નિયામક એ નાયબ માહિતી નિયામક   એસ.જે. બળેવીયાને જરૂરી સૂચનો કર્યા હતા.

દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે આંતરરાજ્ય સરહદી વિસ્તારોમાં શાંતિ, સલામતી અને પારદર્શકતા સાથે ચૂંટણી યોજાઇ એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બાંસવાડા, અલીરાજપુર, જાંબુઆના ઉચ્ચ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યાં હતા.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ અધિકારી  ઓને જિલ્લાના સરહદી વિસ્તારોમાં ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે યોજાઇ એ માટે સહયોગ કરવા જણાવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક   બલરામ મીણાએ સરહદી વિસ્તારોમાં શાંતિ બની રહે માટે ઉપસ્થિત પોલીસ અધિકારીઓને સહયોગ આપવા જણાવ્યું હતું. જેમાં નામચીન આરોપીઓને ઝડપવા, હથિયારના પરવાનેદારો પાસેથી હથિયાર જમા લેવા સહિતની બાબતોની વિગતે ચર્ચા કરવામાં આવી હતી. બાંસવાડા, અલીરાજપુર, જાંબુઆના ઉચ્ચ અધિકારી ઓએ સરહદી વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઇ એ માટે સહયોગ આપવા માટે સહમતી દર્શાવી હતી.

બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી   પ્રજાપતિ સહિતના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યાં હતા

संबंधित पोस्ट

ખાંભા : રબારીકા ગામે વંદે ગુજરાત’રથ યાત્રા કાયૅક્રમ ની સ્થળ તપાસ

Karnavati 24 News

આજે ગુજરાતમાં 1 લાખ કરોડનું ગુજરાતનું ડેરી માર્કેટ – વડાપ્રધાન મોદી

Karnavati 24 News

છેલ્લા 2 વર્ષમાં વધતી જતી મોંધવારીથી લોકોનું બજેટ ખોરવાયું જાણો ત્રણ વર્ષમાં પેટ્રોલ સહીત કઈ ચીજોમાં જોવા મળી મોંઘવારી

Karnavati 24 News

રશિયા યૂક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં ભારત કોનો સાથ દેશે

Karnavati 24 News

જૂનાગઢમાં સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનુ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

Karnavati 24 News

 શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રમાં સેલ્યુટ તિરંગા ગુજરાત પ્રદેશની વિવિધ યોજનાઓનું આયોજન

Karnavati 24 News