Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આંતરરાજ્ય સરહદી વિસ્તારોમાં શાંતિ-સલામતી સાથે ચૂંટણીઓ યોજાય એ માટે બેઠક યોજાઇ

જિલ્લા સેવા સદન, દાહોદ ખાતેના  મીડિયા મોનીટરીંગ એન્ડ કન્ટ્રોલ રૂમની વડોદરા ઝોનના સંયુક્ત માહિતી નિયામક   રાજેન્દ્ર રાઠોડે મુલાકાત લીધી હતી. તેમણે અહીં કરાયેલ જિલ્લાની ચૂંટણીલક્ષી માહિતીના પ્રદર્શનનું પણ નિરીક્ષણ કર્યું હતું. અહીં કાર્યરત કર્મયોગીઓને તેમની જવાબદારીઓ વિશે પૃચ્છા કરી હતી તેમજ આ અંગેના રજીસ્ટરોની ચકાસણી કરી હતી. સંયુક્ત માહિતી નિયામક એ નાયબ માહિતી નિયામક   એસ.જે. બળેવીયાને જરૂરી સૂચનો કર્યા હતા.

દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે આંતરરાજ્ય સરહદી વિસ્તારોમાં શાંતિ, સલામતી અને પારદર્શકતા સાથે ચૂંટણી યોજાઇ એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બાંસવાડા, અલીરાજપુર, જાંબુઆના ઉચ્ચ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યાં હતા.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ અધિકારી  ઓને જિલ્લાના સરહદી વિસ્તારોમાં ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે યોજાઇ એ માટે સહયોગ કરવા જણાવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક   બલરામ મીણાએ સરહદી વિસ્તારોમાં શાંતિ બની રહે માટે ઉપસ્થિત પોલીસ અધિકારીઓને સહયોગ આપવા જણાવ્યું હતું. જેમાં નામચીન આરોપીઓને ઝડપવા, હથિયારના પરવાનેદારો પાસેથી હથિયાર જમા લેવા સહિતની બાબતોની વિગતે ચર્ચા કરવામાં આવી હતી. બાંસવાડા, અલીરાજપુર, જાંબુઆના ઉચ્ચ અધિકારી ઓએ સરહદી વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઇ એ માટે સહયોગ આપવા માટે સહમતી દર્શાવી હતી.

બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી   પ્રજાપતિ સહિતના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યાં હતા

संबंधित पोस्ट

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (National Congress party) ના 24 વર્ષ નિમિતે મુંબઈ ખાતે ઉજવણી કરવામાં આવી

Karnavati 24 News

 જૂનાગઢ જિલ્લામાં બહુમત ગ્રામ પંચાયતો પર ભાજપ-કોંગ્રેસે કર્યા જીતના દાવા

Karnavati 24 News

શિવસેનાએ સામનામાં લખ્યું, ‘મહારાષ્ટ્રમાં નવી સરકાર સ્વપ્ન સમાન છે, સમયસર સાવચેત રહો’

Karnavati 24 News

વિધાનસભામાં સીએમ કેજરીવાલે કહ્યું, ‘દિલ્હીનું બજેટ રોકીને કેન્દ્રએ બંધારણ પર હુમલો કર્યો’

Karnavati 24 News

નિર્મળતા નિર્ણાયકતાનો સમન્વય ધરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેવૃત્વમાં ગુજરાત સરકારને આજે એક વર્ષ પુરૂં થયું છે

Karnavati 24 News

‘અવસર લોકશાહીનો’ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં મતદારોને જાગૃત્ત કરવા માટે સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાશે

Admin