Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

GST કટથી ઓટો સેક્ટરમાં વર્ષ ૨૦૨૮ સુધીમાં ૪-૧૪% વૃદ્ધિની અપેક્ષા…!!

તાજેતરના GST ઘટાડાથી વાહનોના ભાવમાં ૩ – ૯%નો ઘટાડો થયો છે. HSBC Global Research મુજબ આ કારણે ઓટો સેક્ટરમાં FY૨૮ સુધી ૪-૧૪%ની વાર્ષિક વૃદ્ધિ (CAGR) થઈ શકે છે.

કિંમતો ઘટતાં નવા ગ્રાહકો આવશે અને રિપ્લેસમેન્ટ ડિમાન્ડ પણ વધશે. પેસેન્જર વાહનોમાં રૂ.૪૦,૦૦૦ થી રૂ.૧.૫ લાખ સુધીનો ઘટાડો થયો છે. ટાટા મોટર્સને સૌથી વધુ ફાયદો થવાની ધારણા છે, ત્યારબાદ મારુતિ, હ્યુન્ડાઇ અને M&Mને લાભ મળશે.

બે-પહિયાં વાહનોમાં તહેવારો અને ગ્રામ્ય માગથી તેજી આવશે, જ્યારે ઇલેક્ટ્રિક ૨W વૃદ્ધિ થંભી શકે છે. કોમર્શિયલ વાહનોને પણ લાભ થશે. GST કાપ બાદ ઓટો સ્ટોક્સમાં ૬-૧૭%નો ઉછાળો આવ્યો છે, જ્યારે નિફ્ટી ૫૦ ફક્ત ૨% વધ્યો છે. જો કે સ્ટોક્સના મૂલ્યાંકન ઐતિહાસિક સરેરાશ કરતાં ૧૫% વધારે છે, એટલે આગળ વધવા માટે કમાણીમાં વૃદ્ધિ જ મુખ્ય આધાર રહેશે.

संबंधित पोस्ट

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘રાજ્ય અનેક-રાષ્ટ્ર એક, સમાજ અનેક-ભારત એક, ભાષા અનેક-ભાવ એક, રંગ અનેક-તિરંગા એક’ના મંત્રને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના સાથે સાકાર કરવામાં આવશે

Gujarat Desk

રેલવે PSU ચીફે ઘરને ‘સરકારી ગેસ્ટ હાઉસ’ બનાવ્યું, પોતે લેતા હતા 2 લાખનું ભાડું

Admin

અમદાવાદમાં જીએસટી ક્રોપ સાયન્સ કંપનીમાં એમોનિયા લીકેજ થતા ભારે અફરાતફરી

Karnavati 24 News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિદ્વારમાં પતંજલિ ઇમરજન્સી અને ક્રિટિકલ કેર હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

Gujarat Desk

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી 26 મેના રોજ ‘માતાના મઢ’ ખાતે ₹32.71 કરોડના ખર્ચે થયેલ વિકાસકાર્યોનું ભુજથી કરશે ઇ-લોકાર્પણ

Gujarat Desk

યાત્રાધામ પાવાગઢ ખાતે પાટિયા પુલ નજીક ધોધમાર વરસાદને કારણે ભૂસ્ખલનમાં 2ના મોત

Gujarat Desk