Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

હિટવેવથી બચવા સાવચેતી રાખવા જી.એન.એસ- નેશનલ વાયર ન્યૂઝ એજન્સી દ્વારા જાહેર અપીલ



માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગનો અનુરોધ

હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જે મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે જેથી શરીરમાં સનસ્ટ્રોક (લુ) લાગવાની શક્યતા ઘણી વધારે છે. જાહેર જનતાનાં હિતાર્થ સન સ્ટ્રોક (લુ) થી બચવા જી.એન.એસ- નેશનલ વાયર ન્યૂઝ એજન્સી અને આરોગ્ય વિભાગ દ્વારા કેટલાક સુચનો અનુસરવા અનુરોધ.

અસહ્ય ગરમીમાં ભારે પરીશ્રમ કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. શરીરમાંથી પાણી તથા ક્ષારનું પ્રમાણ ઘટી જાય છે, જેનાં કારણે સન સ્ટ્રોક (લુ)ની અસર જણાય છે.

સન સ્ટ્રોક (લુ) લાગવાના લક્ષણો:

          માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ.

          શરીર અને હાથ પગમાં અસહ્ય દુ:ખાવો થાય.

          ખુબ તરસ લાગે, વધુ પરસેવો થવો.

          ગભરામણ થાય.

          ચક્કર આવે.

          શ્વાસ ચડવો.

          હૃદયના ધબકારા વધી જાય.

          બેભાન થવું, શરીરમાં નબળાઇ આવવી.

          ગરમ, લાલ અને સુકી ચામડી થવી.

સન સ્ટ્રોક થી બચવા:-

          વધુ ગરમીમાં બિનજરૂરી બહાર જવું નહી.

          વધુ પડતા પ્રવાહીનો ઉપયોગ કરવો જેવા કે લીંબુ શરબત, શેરડીનો રસ, તાજા ફળોનો રસ પાણી, ઓ.આર.એસ વગેરે.

          લાંબો સમય સુધી તડકામાં ઊભા રહેવું નહીં.

          આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા.

          આંખો પર ગોગલ્સ પહેરવા, માથા પર ટોપી પહેરવી.

          ભીના કપડાંથી માથું ઢાંકી રાખવું.

          નાનાં બાળકો, સગર્ભા સ્ત્રી, વૃદ્ધોએ ગરમીમાં બહાર નીકળવું નહીં.

          લાંબો સમય ભૂખ્યા રહેવું નહીં.

          ખુલ્લા પગે તડકામાં ચાલવું નહીં.

          માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરાવી સલાહ અને સારવાર લેવી.

संबंधित पोस्ट

આવકવેરા વિભાગ દ્વારા ભાવનગરમાં સર્ચ-ઓપરેશન

Gujarat Desk

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યના આરોગ્ય હિતના મહત્વપૂર્ણ મુદ્દાઓનું સૂચન કર્યું

Gujarat Desk

આજ નું પંચાંગ (૦૨/૧૧/૨૦૨૫)

Gujarat Desk

યુપીએસસીએ એન્જિનિયરિંગ સર્વિસીસ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા

Gujarat Desk

ધ્રોલમાં કાર પલટી જતાં ત્રણના મોત બે વ્યક્તિને ઇજા થઇ

Gujarat Desk

આજે વડાપ્રધાન મોદી નવી દિલ્હીમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કરશે

Gujarat Desk