Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

સુરત ના ભાઠેના ખાતે વેપારીના મકાનમાંથી 1.95 લાખની ચોરી ની ઘટના બની

સુરત માં ચોરો ને પોલીસ નો કોઈ ખોફ ના હોય તે રીતે બિન્દાસ્ત ચોરી ને અંજામ આપે છે.સુરત ના ભાઠેનામાં રહેતા વેપારીના મકાનમાંથી અજાણ્યો ઘરનો નકૂચો તોડીને રૂ।.1.95 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જે અંગે ઉધના પોલીસે ગુનો નોંધ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભાઠેના તારા વિધાલય પાસે શિવશક્તિનગર સોસાયટીમાં રહેતા હિતેષભાઈ ડાયાભાઈ રામા (ઉ.વ.૩૦) ઘરની નીચેના માળે જ જરીનું કામકાજ કરે છે. તા. 14મી ફેબ્રુઆરીના રોજ તેઓ પરિવાર સાથે પહેલા માળે સૂતા હતા, તેમના માતા-પિતા બીજા માળ ઉપર નાનાભાઇની રૂમમાં સૂતા હતા. આ દરમિયાન રાત્રીના સમયે કોઇ અજાણ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દરવાજાનો નકૂચો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી રૂા.1.60 લાખ રોકડા તેમજ 35 હજારના દાગીના મળી કુલ્લે રૂા.1.95 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. હાલ સમગ્ર ઘટના ને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે..મહત્વનું છે કે પોલીસ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હોય તે દરમ્યાન સોસાયટી ના તમામ જગ્યા પર નિરીક્ષણ કરતી હોય છે તેમ છતાં આવી ઘટના બનતા પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠે છે..

संबंधित पोस्ट

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગઃ 18 વર્ષના વિદ્યાર્થીએ ગોળી મારી, 19 બાળકો સહિત 21ની હત્યા કરી

Karnavati 24 News

નશાખોરો સામે પોલીસની લાલ આંખ:ગાંધીનગરમાં નવા વર્ષની ઉજવણી પર રોક લગાવવા રાત્રે પોલીસ એક્શન મોડમાં આવશે, નશાખોરોને પકડવા સઘન ચેકીંગ

Karnavati 24 News

નોઈડાના પબમાં ચાઈનીઝ સ્લીપર સેલે બેઠક યોજી : નેપાળ થઈને ચીનના નાગરિકોનો ભારતમાં પ્રવેશ, જરૂરી ડેટા એકત્રિત

Karnavati 24 News

 જામનગરના એક વેપારી પેઢીના સંચાલકને ચેક રિટર્ન કેસમાં છ માસની સજા

Karnavati 24 News

કચ્છમાં ૪ વર્ષમાં ૪૫ બાળલગ્ન અટકાવાયા : પછાત વર્ગમાં વિશેષ દુષણ જોવા મળ્યા

Karnavati 24 News

સત્યેન્દ્ર જૈનની કસ્ટડી 13 જૂન સુધી લંબાવાઈ: EDની કસ્ટડીમાં મોકલવાનો આદેશ સાંભળીને આરોગ્ય મંત્રીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

Karnavati 24 News