Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

શહેરી વિસ્તારમાં કુલ ૧૪ મિલકતોને પાલિકાએ મારી દીધા સીલ : ૩૩ કરોડની ડિમાન્ડની સામે ૮.પ૦ કરોડની ઉઘરાણી

પોરબંદર-છાંયા સંયુક્ત નગર પાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં વિવિધ વેરાની વસુલાત કરવામાં આવે છે. પરંતુ કેટલાક આસામીઓ પાંચ-પાંચ વર્ષની વેરો ભરતા નથી. હવે આવા આસામીઓ વિરૂદ્ધ પાલિકાએ સીલનું શસ્ત્ર ઉપાડ્યું છે. એક સપ્તાહ પૂર્વે ૭ મિલ્કતોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ ૯ ફેબ્રુઆરી ગુરૂવારે વધુ ૭ આસામીઓની મિલ્કત સીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ પાલિકા લાંબા સમયથી વેરો ન ભરનારા આસામીઓની મિલ્કતો સીલ કરશે.
શહેરી વિસ્તારમાં લાઇટ, પાણી, રોડ, સફાઇ સહિતની સુવિધા આપવા પાલિકા દ્વારા વેરાની ઉઘરાણી કરવામાં આવે છે. પરંતુ નાગરીકો સમયસર વેરો ભરતા નથી જેથી પાલિકા નાગરીકોને પૂરતી સુવિધા આપી શકતી નથી. પાલિકાએ ર૪ હજાર જેટલી નોટીસો પણ ફટકારવામાં આવી છે. પાલિકાના હાઉસ ટેક્ષ વિભાગના જણાવ્યા અનુસાર ર૦રર-ર૩ અને લાંબા સમયથી બાકી વેરા મળી કુલ ૩૩ કરોડની ડિમાન્ડ હતી. જેમાંથી ૮.પ૦ કરોડ જેટલી રકમની વસુલાત થઇ છે. હજુ પણ કરોડો રૂપિયાનો વેરો વસુલવાનો બાકી છે. જેમાં પોરબંદર શહેરની જૂની મહારાણા મીલ, એસીસી તેમજ અન્ય ફેકટરીઓનો ૧૦ કરોડ જેટલો વેરો બાકી છે. જે ખૂબ મોટી રકમ ગણી શકાય. પરંતુ આવા નામચીન ફેક્ટરીઓ એ પણ વેરો ભર્યો નથી. તે સિવાયનો પણ શહેરી વિસ્તારમાં કરોડોનો વેરો બાકી છે. પાંચ-પાંચ વર્ષથી વેરો ન ભરાનારાઓની ખેર નથી. પાલિકાના હાઉસ ટેક્ષ વિભાગે મિલ્કતો સીલ કરવાની કામગીરી ઝડપથી શરૂ કરી છે. એક સપ્તાહ પૂર્વે ૭ જેટલી મિલ્કતોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. ૯ ફેબ્રુઆરી ગુરૂવારે વધુ ૭ મિલ્કતો સીલ કરવામાં આવી હતી. હાઉસ ટેક્ષ વિભાગના અધિકારી વિપુલ ભટ્ટના જણાવ્યા મુજબ લાંબા સમયથી વેરો ન ભરનારા નાગરીકોને નોટીસો આપવામાં આવી છે. આમ છતાં આસામીઓ વેરો ભરવા આવતા નથી. જેથી નગરપાલિકાના ચિફ ઓફિસરના આદેશ મુજબ હાઉસ ટેક્ષ વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી ચાલી રહી છે. નગરજનોને પાલિકાએ  અપીલ કરી છે કે બાકી વેરા ધારકો તાત્કાલીક વેરો ભરી આપે નહીંતર મિલ્કતો સીલ કરવામાં આવશે.

संबंधित पोस्ट

बीजेपी मिशन 2024 – क्यां ईन राज्यो में बीजेपी है चिंतीत?, सर्वे के आंकडे क्यां कह रहे है

Admin

પીએમ મોદીએ કર્યું બેંગલુરુમાં ‘ઈન્ડિયા એનર્જી વીક 2023’નું ઉદ્ઘાટન, કહી આ વાત

Admin

असम सीएम हेमंत विसवा का नया फरमान : कहा गांव में कोई इमाम आए तो बताए पुलिस को।

Karnavati 24 News

मेरठ मंडलायुक्त ने गजियाबाद के तमाम विभाग प्रमुखों के साथ की समीक्षा बैठक

Admin

गोरखपुर : दो दिवसीय दौरे पर पहुंचेंगे मुख्यमंत्री योगी आदित्यनाथ

Admin

केंद्रीय मंत्री नितिन गडकरी का बयान कहा – व्यक्ति का अंत हार मानने तक नही होता।

Karnavati 24 News