Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

 રાજ્યમાં કોવિડ પૂર્વે જ નર્સોની તંગી

એક તરફ ગુજરાતમાં કોવિડના કેસો વધી રહ્યા છે તે સમયે રાજ્ય સરકારની સમીક્ષામાં જણાવાયું છે કે રાજ્યમાં નર્સિંગ સ્ટાફ અને પેરા મેડીકલ સ્ટાફ તરીકે ઓળખાતા કર્મચારીઓમાં 53 ટકાની ઘટ છે અને હવે તે કેમ પૂરી કરવી તે અંગે ચિંતા કરાશે. નીતિ આયોગ સાથેની બેઠકમાં કોરોનાના મુકાબલા માટે જે જે તૈયારીઓ છે તેમાં આ વાત બહાર આવી હતી. જેમાં જાહેર આરોગ્ય કેન્દ્રો જે પીએચસી સહિતના નામે ઓળખાય છે તેમાં પેરામેડીકલ સ્ટાફની 53 ટકા તંગી છે જ્યારે જિલ્લા હોસ્પિટલોમાં સ્પેશ્યાલીસ્ટ તબીબોમાં 37 ટકાની તંગી છે. રાજ્યમાં જે બાળકો જન્મે છે તે તમામ નોંધાતા નથી અને 87.3 ટકા જ જન્મ નોંધાય છે જો કે મૃત્યુમાં 100 ટકા નોંધણી થાય છે તેવો રાજ્ય સરકારનો દાવો છે. રાજ્ય સરકાર તેના કુલ બજેટના 7.24 ટકા આરોગ્ય પાછળ ખર્ચે છે.

संबंधित पोस्ट

આજનું રાશિફળ (25/06/2025)

Gujarat Desk

આદિજાતિ ખેડૂતોને આધુનિક- બાગાયત ખેતી તરફ વાળવા સરકાર સતત પ્રયત્નશીલ : આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ડૉ. કુબેર ડિંડોર

Gujarat Desk

આજનું રાશિફળ (૧૩/૧૨/૨૦૨૫)

Gujarat Desk

રશિયાના મોસ્કો નજીક ટ્રેનર વિમાન, યાકોવલેવ યાક-૧૮ટી, દુર્ઘટનાગ્રસ્ત, 4 લોકોના મોત

Gujarat Desk

BPCL ઇથેનોલ ફાળવણી વિવાદમાં સુપ્રીમ કોર્ટે યથાવત સ્થિતિનો આદેશ આપ્યો

Gujarat Desk

કેરળમાં બે શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ ત્રણ જિલ્લામાં નિપાહ વાયરસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું

Gujarat Desk