Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

મ્યુનિસિપલ શાળા માં લાલિયા વાડી મંજુરી વગર ભોજન સમારોહ કર્યો

મ્યુનિસિપલ શાળામાં લાલિયાવાડી મંજુરી વગર ભોજન સમારોહ કર્યો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં લાલિયાવાડી ચાલી રહી છે, ભૂતકાળમાં અવાર નવાર આ મામલે વિવાદ સર્જાયા બાદ આજે વગર મંજુરીએ કરચલિયાપરાની શાળામાં ભોજન સમારોહ યોજાતા સ્ટેન્ડીંગ કમિટીમાં સભ્યએ સવાલ ઉઠાવ્યો હતો, જોકે, આ મામલે ખૂદ શાસનાધિકારી પણ અજાણ હતા. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન ધીરૂભાઈના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં પૂર્વ નિર્ધારિત ૪૦ કાર્યોને મંજુર કરાયા હતા, ખાસ કરીને રૂપિયા ૨૪ કરોડના વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી, રોડ, સોમવારે શાળાના આચાર્યતો ખુલાસો પુછાશે શાળાના કેમ્પસમાં મંજુરી વગર કોઈ કાર્યક્રમ, સમારોહ કરી શકાતો નથી. આજે ભોજન સમારોહ હોવાની વાત મારા સુધી આવી છે, તપાસ કરાવીને સોમવારે કરચલિયાપરા વોર્ડની શાળાના આચાર્યને નોટિસ આપીને ખુલાસો પુછીશું. – એમ.બી. બાલમલિયા, શાસનાધિકારી, શિક્ષણ સમિતિ બ્લોક, ફાયર સ્ટાફનું કવાર્ટસ, સહિતના કામોને સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌથી ગંભીર બાબત મ્યુ. શાળાના કેમ્પસમાં મંજુરી વગર કાર્યક્રમ અથવા તો ભોજન સમારોહ યોજવા મામલે અગાઉ અવાર નવાર વિવાદ સર્જાય છે, ત્યારે આજે વધુ એક વખત કરચલિયાપરામાં વીર સાવરકર શાળાના ગ્રાઉન્ડમાં મંજુરી વગર જ ભોજન સમારોહ યોજાયો હતો, જે મામલે સભ્યએ સ્ટેન્ડીંગ કમિટીમાં સવાલ મૂક્યો હતો, પરંતુ આ બાબતે શાસનાઅધિકારીને પણ જાણ ન હતી, મતલબ કે મંજુરી વગર જ શાળાના મેદાનમાં ભોજન સમારોહ યોજાયો હતો.

संबंधित पोस्ट

ગુજરાત સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ લાવનાર રાજ્ય જ નહિ, સૌથી વધુ નેશનલ/ઇન્ટર નેશનલ ગેમ્સ આયોજીત કરનાર રાજ્ય પણ છે: રમત ગમત મંત્રીશ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

વર્ષ ૨૦૨૫માં વિશ્વ વન દિવસની થીમ “વનો અને ખોરાક” નક્કી કરાઇ

Gujarat Desk

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પાલનપુર ખાતે બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ્સની મુલાકાત લીધી

Gujarat Desk

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલા 11 જૂને યોજાશે જળયાત્રા

Gujarat Desk

ગુજરાત ઈલેક્શન 2022 : મહીસાગર કોંગ્રેસમાં ઉમેદવારોને લઈને ભારે રોષ

Admin

મહિલા વર્લ્ડ કપમાં વિશ્વ વિજેતા થયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી સુશ્રી રાધા યાદવે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત

Gujarat Desk