Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

‘મેરી આવાઝ હી મેરી પહેચાન…’ લતા મંગેશકરનું નિધન, સોશિયલ મીડિયા પર આ 2 વીડિયો થઇ રહ્યા છે ખૂબ વાયરલ

ભારત રત્ન લતા મંગેશકરના નિધનથી આખો દેશ શોકમાં છે. સોશિયલ મીડિયા પર લોકો પોતપોતાની રીતે શોક વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક તેની ગાયકી કારકિર્દી વિશે વાત કરી રહ્યા છે તો કેટલાક તેના અનોખા અને સદાબહાર ગીતોને યાદ કરી રહ્યા છે.
ભારત રત્ન લતા મંગેશકર (Lata Mangeshkar)ના નિધનથી આખો દેશ શોકમાં ડૂબી ગયો છે. સોશિયલ મીડિયા (Social media) પર લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક લોકો તેમની લાંબી સંગીતની કારકિર્દી વિશે વાત કરી રહ્યા છે, તો કેટલાક તેમના અનન્ય અને સદાબહાર ગીતોને યાદ કરી રહ્યા છે. જો તેમના સિંગિંગ કરિયર (Singing career)ની વાત કરીએ તો તેમણે લગભગ 70 વર્ષ સુધી બોલિવૂડમાં ગાવાનું કામ કર્યું અને પોતાના સુંદર અવાજથી તેઓ લોકોના દિલ અને દિમાગ પર છવાઈ ગયા. તેમણે 40ના દાયકામાં ગાવાનું શરૂ કર્યું અને વર્ષ 2010 સુધી બોલિવૂડને હજારો એવરગ્રીન ગીતો આપ્યા.

લતા મંગેશકરના કેટલાક ગીતો છે જે નવી પેઢીમાં ખૂબ જ લોકપ્રિય છે. લોકો તેમને સાંભળવાનું પસંદ કરે છે. જેમાં ‘લગ જા ગલે’ અને ‘મેરી આવાઝ હી મેરી પહેચાન હૈ’ જેવા ગીતોનો સમાવેશ થાય છે. લોકો સોશિયલ મીડિયા પર તેમના ગીતો સાથે જોડાયેલા ઘણા બધા વીડિયો પણ શેર કરી રહ્યા છે અને તેમની પોતાની શૈલીમાં તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

લતા મંગેશકરના દેશભક્તિના ગીત ‘એ મેરે વતન કે લોગોં’ની તો વાત જ શું કરવી. આ એક અમર ગીત છે, જેનો એક અલગ ઈતિહાસ છે. એવું કહેવાય છે કે જ્યારે લતા મંગેશકરે આ ગીત પંડિત જવાહરલાલ નેહરુની સામે રજૂ કર્યું હતું, ત્યારે તેને સાંભળીને તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઇ હતી. તે પછી પણ તેમણે આ ગીત પર અનેક પ્રસંગોએ પોતાનું પરફોર્મન્સ આપ્યું છે અને દરેક વખતે લોકોની આંખો ભીની કરી છે. તેમના મૃત્યુ બાદ તેમનું ગીત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. વાસ્તવમાં આ ગીત દેશના કરોડો નાગરિકોની લાગણી સાથે જોડાયેલું છે.

આ સિવાય લતા મંગેશકરના આવા ઘણા ગીતો છે, જે લોકોને ખૂબ પસંદ છે અને લોકો તે ગીતોના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને લતા મંગેશકરને યાદ કરી રહ્યા છે.

संबंधित पोस्ट

શિશુવિહાર સંસ્થા દ્વારા એમ. કે. જમોડ શાળા ખાતે ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઇ

Karnavati 24 News

PM મોદીએ સાયન્સ સિટી અમદાવાદમાં આયોજિત કેન્દ્ર-રાજ્ય વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કર્યું

Karnavati 24 News

ઉદ્ઘાટનના પાંચ દિવસ બાદ જ વરસાદમાં બુંદેલખંડ એક્સપ્રેસ વે નું ધોવાણ, નબળી કામગીરી છતી થઇ

Karnavati 24 News

Madhya Pradesh Coronavirus: बिना मास्क घर से निकले पर होगी कार्रवाई, मंत्री और विधायकों को भी नहीं मिलेगी छूट

Admin

રાજસ્થાનના રવિએ 3 વખત સિવિલ સર્વિસ પાસ કરી: ફાર્મથી IAS સુધીનો પ્રવાસ, બાળપણમાં વિચાર્યું કે કલેક્ટર બનીશ

Karnavati 24 News

ભાવનગરનાં કુંભારવાડાની ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રા. શાળામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો

Karnavati 24 News