Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી



(જી.એન.એસ) તા.૧૮

ગાંધીનગર,

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસે આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજભવન પધારીને રાજ્યપાલશ્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.રાજપાલશ્રીના જન્મદિવસ નિમિત્તે રાજભવન પરિવાર દ્વારા રાજભવનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે રક્તદાન કેમ્પની પણ મુલાકાત લીધી હતી. આજે સવારે આઠ વાગ્યાથી રક્તદાન કેમ્પનો પ્રારંભ થયો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રત્યે સ્નેહ અને સન્માન ભાવ પ્રગટ કરતાં માનવતાની સેવા માટે અનેક લોકો ઉત્સાહપૂર્વક રક્તદાન કરી રહ્યા છે.રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પણ રાજભવન પધારીને રાજ્યપાલશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર પણ રાજભવન પધાર્યા હતા અને તેમણે રાજ્યપાલશ્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.જન્મદિવસની સવારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી અને પરિવારજનો સાથે રાજભવન પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવન કર્યો હતો.

संबंधित पोस्ट

વડોદરા મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ મુદ્દે ભારે હોબાળો મચ્યો

Gujarat Desk

આજથી ગુજરાતના અનેક જીલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Gujarat Desk

રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગુરુવારે દક્ષિણ કોરિયામાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે: ચીન

Gujarat Desk

એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા વધારે ફી લેવામાં આવતી હોવાના આક્ષેપો સાથે પોદ્દાર સ્કૂલ સામે વાલીઓનો દેખાવો

Gujarat Desk

ટ્રમ્પે વેનેઝુએલાના “શાસન” ને વિદેશી આતંકવાદી સંગઠન ગણાવ્યું

Gujarat Desk

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માતમાં 4ના ઘટનાસ્થળે મોત થયા

Gujarat Desk