Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 માળિયાના પ્રાણ પ્રશ્નો મામલે મહિલા શક્તિ સંગઠન દ્વારા રેલી યોજી આવેદન

આનંદી સંસ્થા અને માળીયા મહિલા શક્તિ સંગઠન દ્વારા માળીયા મેઈન ચોરાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં માળીયા તાલુકા અને નગર પાલિકા તેમજ વાંઢ વિસ્તારમાં વર્ષો જુના પ્રશ્નો વિષે આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી

માળિયા મહિલા સંગઠન દ્વારા આવેદન પાઠવીને વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી જે નીચે મુજબ છે

1)માળીયા મેન બજાર માં ખુલી ગટરો ના કારણે બીમારી નું પ્રમાણ વધે છે. જે ખુલી ગટરો બંધ કરવા  માંગ

2) વંચિત સમુદાય ના કુટુંબો ને BPL યાદી માં સમાવેશ.

3) નગર પાલિકા ની વાંઢ વિસ્તાર માં વર્ષો સુધી આંગણવાડી નથી જ્યાં બાળકોના પોષણ અને શિક્ષણ ને ધ્યાનમાં રાખી મીની આંગણવાડી ની માંગ

4) જ્યાં આંગણવાડી છે ત્યાં આંગણવાડી ના મકાનો નથી તેની માંગ.

5) વાંઢ વિસ્તાર માં આ 21 સદીમાં લોકો હજુ પણ અંધકાર માં જીવે છે ત્યાં લાઈટ ની સુવિધા ની માંગ.

6) સસ્તા અનાજ ની દુકાન માંથી પૂરતું, ચોખ્ખું, અને બિલ મળવા ની માંગ

7) વિધવા, એકલ, વિકલાંગ વ્યક્તિને અંત્યોદય રાશન કાર્ડ ની માંગ

8) શાળાઓ માં છોકરા છોકરીયો માટે ટોયલેટ બાથરૂમ ની અલગ સુવિધાઓ,

તે ઉપરાંત રેલી બાદ માળિયા તાલુકાના નવા ચૂંટાયેલા મહિલા સરપંચનું સન્માન આનંદી સંસ્થા અને સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું માળીયા મહિલા શક્તિ સંગઠનના જે જુના અનુભવી આગેવાન બહેનો જેના દ્વારા 15 વર્ષ થી અન્ન સુરક્ષા, આજીવિકા, આરોગ્ય અને પોષણ,  કામના અધિકાર ને લઇને લડતો કરેલ તેની સંઘર્ષની ગાથા આગેવાન બહેનો દ્વારા રજુ કરવામાં આવી હતી

 

संबंधित पोस्ट

ગુજરાત ઈલેક્શન 2022 : વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારના મેદાનમાં ઉતરશે ‘ગાંધી’ પરિવાર

Karnavati 24 News

 જૂનામાંકામાં ઠાકોર સમાજની 3 મહિલા સામે દેસાઈ સમાજની મહિલાની 228 મતોથી જીત

Karnavati 24 News

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી ગીર ફોરેસ્ટને લીધે વિલંબિત તમામ મીટરગેજ લાઈનોના ગેજ પરિવર્તનના કામો રેલવે બોર્ડ તરફથી પ્રાયોરિટીમાં લેવામાં આવ્યા

Karnavati 24 News

ભાજપના ધારાસભ્ય ભરત પટેલનું વિવાદિત નિવેદન , કહ્યું- હું જ્યારે ઇચ્છું ત્યારે રમખાણો કરાવી શકું છું

Karnavati 24 News

રાહુલ ગાંધીની નેટવર્થઃ રાહુલ ગાંધીની સંપત્તિ કરોડોમાં છે, જાણો કોંગ્રેસ નેતાની જીવનશૈલી

Karnavati 24 News

જાફરાબાદના માજી ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને રૂબરૂ મળી વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરી….

Karnavati 24 News