Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભાવનગર હરિદ્વાર વચ્ચે વધુ એક ટ્રેન, રાજ્ય મંત્રી અને સાંસદ નિમુબેન બાંભણીયાના પ્રયત્નો સફળ થતાં આ ટ્રેન ફાળવવામાં આવશે



(જી.એન.એસ) તા. 24

ભાવનગર,

ભાવનગરના રેલ્વે મુસાફરોને એક ખૂબ મોત સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય રાજ્ય મંત્રીના પ્રયત્નો સફળ થતાં હવે રેલવેના મુસાફરોને મળશે વધુ એક સારી સગવડ. ભાવનગર હરિદ્વાર વચ્ચે વધુ એક ટ્રેન ફાળવવામાં આવશે. રાજ્ય મંત્રીય અને સાંસદ નિમુબેન બાંભણીયાના પ્રયત્નોથી આ ટ્રેન ફાળવવામાં આવશે.

આ ટ્રેન ભાવનગરથી હરિદ્વાર સપ્તાહમાં બે વખત દોડશે. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેનની ઓફિસેથી આ માહિતી આપવામાં આવી છે. રેલ્વે વિભાગ આ માટે ટાઇમટેબલ સાથે સત્તાવાર જાહેરાત કરશે. ભાવનગરને વધુ એક ટ્રેન ફાળવવામાં આવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

ભાવનગરવાસીઓની લાંબા સમયથી માંગ હતી કે તેમને હરિદ્વારથી વધુ એક ટ્રેન ફાળવવામાં આવે. હવે તે માંગ પૂરી થઈ છે. તેમને આ ટ્રેન ફાળવવામાં આવશે. આગામી નાણાકીય વર્ષમાં આ ટ્રેન શરૂ થઈ જાય તેમ માનવામાં આવે છે. ભાવનગરના રહેવાસીઓની વર્ષો જૂની માંગ પૂરી થવાથી લોકો ખુશ છે. તેમા પણ ભાવનગર અને બોટાદ સાઇડનું બ્રોડગેજનું કામ પૂરુ થયું હોવાથી હવે ત્યાંથી લાંબા અંતરની ટ્રેનો દોડાવવાનું શક્ય બન્યું હોવાનું રેલ્વેએ જણાવ્યું છે. આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત જ નહીં પણ મધ્ય ભારત તથા ઉત્તર પ્રદેશની કનેક્ટિવિટીની અનેક ટ્રેનો દોડતી થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

संबंधित पोस्ट

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, મોબાઈલ છીનવી લેતા પુત્રીએ આપઘાત કર્યો

Gujarat Desk

આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની સંભાવના : એસબીઆઈ

Gujarat Desk

Sume de bani Pot casino ?tie ce sa aduca pentru a mul?umi ?i cei mai exigen?i jucatori

Gujarat Desk

ધોલેરા SIR ‘ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી’ ખાતે અત્યાર સુધીમાં રૂ. ૩૫,૯૮૪ કરોડથી વધુનું રોકાણ થયું: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

Gujarat Desk

એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા વધારે ફી લેવામાં આવતી હોવાના આક્ષેપો સાથે પોદ્દાર સ્કૂલ સામે વાલીઓનો દેખાવો

Gujarat Desk

સુરતની કામરેજ સુગર ફેક્ટરીમાં આગ,બગાસના સંગ્રહિત જથ્થામાં આગ લાગતા નાસભાગ,ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો.!

Karnavati 24 News