Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભાવનગરમાં બિન સચિવાલય પરીક્ષા મામલે ભાજપના આ કાર્યકરનો વીડિયો વાયરલ

બિનસચિવાલય પરીક્ષા જે રદ થઈ હતી જેમાં ગેરરીતી થયાનો વીડિયો વાયરલ થયો છે. ભાવનગર જિલ્લા ભાજપ કાર્યકર વૈભવ જોષીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ ઉમેદવાર પાસે 50-50 હજાર લીધાની વાત કરી રહ્યા છે. 18 લાખ રુ. ઉઘરાવ્યાની કબૂલાત પણ વાયરલ વીડિયોમાં જોવા મળી હતી. શિક્ષણ વિભાગના અધિકારીઓને પણ ફોડવા માટે 2 લાખ રુપિયા આપ્યાનો દાવો વીડિયોમાં સામે આવ્યો છે. મનપા અધિકરારીને 1.5 લાખ આપ્યાની વાતનો ઉલ્લેખ તેમણે કર્યો છે.
પેપર તપાસનાર ને પણ પૈસા આપ્યાનો વીડિયોમાં તેમણે વાત કરી છે પરંતુ સાથે એ પણ કહ્યું છે કે, આ બધુ કર્યા છતાં પરીક્ષા રદ થઈ છે. આમ આ વાયરલ વીડિયોથી ચકચારી મચી ગઈ છે. મળતી વિગતો અનુસાર 7 જેટલા શિક્ષકોને પેપર સોલ્વ કરવા માટે બાજૂમાં બેસાડ્યા હતા. 5થી 6 લાખ મેં ચૂકવી દીધા હતા મને મળ્યું કંઈ નહીં અને 5થી 6 લાખ રુપિયા દેવાના ચૂકવ્યા હતા. તેમ તેઓ વીડિયોમાં જણાવી રહ્યા છે.
18 લાખ રુપિયાની રકમની માંગણી કરી હોવાની વિગતો સામે આવી હતી. જે શાળાએ પરીક્ષા હતી તેમાં 7 શિક્ષકોને પેપર સોલ્વ કરવા માટે રાખવામાં આવ્યા હતા. 1 સવાલના સોલ્યુશન માટે 5,000 રુપિયા શિક્ષકને આપવાના હતા. 50 સવાલોના જવાબામાં 2.5 લાખ આપવાના હતા. આમ આ પ્રકારની વિગતો સામે આવી છે.
10 ફેબ્રુ 2022મના રોજ પરીક્ષા રદ થઈ હતી. તળાજામાં શાળા હતી તેમાં બેસવાના હતા તેમની પાસેથી પૈસા લીધા હોવાની વિગતો મળી રહી છે. 35થી36 લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા. તે પ્રકારની વિગતો પણ સામે આવી હતી. ભાવનગરના જિલ્લા ભાજપ કાર્યકર સ્કૂલ ચલાવે છે અને આ પ્રકારે વીડિયોમાં તેમણે આ વિગતો જણાવી હતી. જેમાં ગેરરીતી એ સમયે બિનસચિવાલય પરીક્ષામાં થઈ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

संबंधित पोस्ट

અમદાવાદ બાવળા ખાતે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા મહામંત્રી ઉપસ્થિત રહ્યા

Karnavati 24 News

ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પહેલા ભારે હલચલ,હાર્દિક પટેલે કેસરિયા વાળું DP મુકીને કર્યો મોટો ઈશારો

Karnavati 24 News

પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે – રવિશંકર પ્રસાદે રાજકોટમાં કહી આ વાત

Admin

દુબઈના મશહૂર ઈન્ડિયન આર્ટિસ્ટ શ્રી અકબર સાહેબ દ્વારા તેમના વ્યક્તિત્વ અને તેમણે કરેલા કાર્યોના કેનવાસ અને વોટર ક્લર પેઇન્ટિંગ નો પ્રદર્શન કાર્યક્રમ આર્ટ ગેલેરી સાયન્સ સેન્ટરમાં રાખવામાં આવ્યું

સહકારી આગેવાન દિલીપ સંઘાણી ને લઈને સોશ્યલ મીડિયામાં વિવાદક સ્પદ નિવેદન ને લઈને દિલીપ સંઘાણી ની વાહરે આવ્યા ભારતીય જનતા પાર્ટી ને આગેવાનો અને કાર્યકર્તાઓ

Karnavati 24 News

મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર 3 અને 4 જુલાઈના રોજ યોજાશે

Karnavati 24 News