Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી આ દિગ્ગજ નેતાને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા માટે માંગ કરી

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની માંગ અશોક ગેહલોત દ્વારા કરવામાં આવી છે. વડોદરામાં જાહેર કાર્યક્રમમાં કોગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ આ માંગ કરી હતી.

વિધાનસભાની ચૂંટણી પહેલા નિરીક્ષક તરીકેની મોટી જવાબદારી અશોક ગેહલોતને સોંપવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે છે ત્યારે ભરતસિંહ સોલંકીએ આ વાત કહી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં આવે.

લોકસભાની ચૂંટણી કોગ્રેસ ગેહલોતની આગેવાનીમાં લડે તેમ તેમણે કહ્યું હતું. ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, અશોક ગેહલોત કોંગ્રેસને જીતાડીને રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન બનાવે તેમ તેમણે કહ્યું હતું. ખાસ કરીને આગામી ડિસેમ્બર મહિનામાં કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ મામલે ભરતસિંહ સોલંકીએ પણ તેમનો મત આપ્યો હતો.
થોડા સમય પહેલા રાજકીય ક્ષેત્રે બ્રેક લીધા બાદ ભરતસિંહ સોલંકી ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં સક્રીય બન્યા છે. ત્યારે વડોદરાના કાર્યક્રમમાં તેમણે આ વાત કહી હતી. ગઈકાલથી જ અશોક ગેહલોતનો રાજકીય પ્રવાસ નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપાયા બાદ શરુ થયો છે. તેઓ દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રના પ્રવાસે છે.

संबंधित पोस्ट

સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડને પોતાની તિજોરીમાંથી પૈસા આપ્યા હતા : સંબિત પાત્રા

Karnavati 24 News

કેરળમાં રાહુલ ગાંધીની ઓફિસ પર હુમલા બાદ મોટી કાર્યવાહી, DSP સસ્પેન્ડ, ADGP કરશે તપાસ

Karnavati 24 News

તારંગા હિલ આબુની નવી રેલ પરિયોજના ૨૭૯૮.૧૬ કરોડમાં ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થશે, CMએ PMનો માન્યો આભાર

Karnavati 24 News

કણૉવતી 24 ન્યુઝ ચેનલના કુંકાવાવ-વડીયા તાલુકાના રીપોટર પત્રકાર પ્રકાશભાઇ જી.

Karnavati 24 News

ભરૂચ જિલ્લામાં કોગ્રેસના પાચેય વિધાનસભા બેઠક માટે સંભવિત ઉમેદવારોના નામ લોક ચર્ચાએ જોર પકડ્યું છે.

Admin

ભારત જોડો યાત્રા પછી, 26 જાન્યુઆરીથી કોંગ્રેસ શરુ કરશે હાથથી હાથ જોડો અભિયાન

Admin