Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

પોરબંદરની બંધ મહારાણા મીલના ૩૦૦૦ કામદારોના બાકી હક્ક હિસ્સાની ચુકવણીનો માર્ગ મોકળો થશે : રામદેવભાઇ મોઢવાડીયા

પોરબંદરની બંધ મહારાણા મીલના ૩૦૦૦ કામદારોના બાકી હક્ક હિસ્સા મળે તેવા સંજોગો ઉજળા બન્યા છે અને હાઇકોર્ટના નિર્દેશ મુજબ વધતો ન હતો. કામગીરી ગતિમાં હોવાનું જાણવા મળ્યું છે. 

 પોરબંદરની મહારાણા મીલની ૨૫૦૦૦ વાર જેટલી જમીન જગદીશ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝને ભાડે આપી હતી. આ જમીન જગદીશ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ આ જમીન ખાલી કરતું ન હતું. આ જમીન ખાલી કરાવવા માટે મહારાણા મીલ કામદાર સંઘે હાઇકોર્ટમાં દાદ માંગવાનું નક્કી કર્યું હતું. મહારાણા મીલના કામદાર સંઘે ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી અને કામદારોના હક્ક માટે લડતા દીપકભાઇ બાબરીયાના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ જમીન માટે વકીલ સોઢી મારફત હાઇકોર્ટમાં દાદ માંગી હતી.

હાઇકોર્ટે મહારાણામીલના કામદારોની ફેવરમાં હુકમ કર્યો હતો. જેની સામે ડબલ બેન્ચમાં મહારાણા મીલ કામદાર સંઘે દાદ માગી હતી પણ કોરોનાકાળને કારણે આ કેસ આગળ વધતો ન હતો. મહારાણા મીલના કામદારો રામદેવભાઇ મોઢવાડીયાના સહયોગથી હાઇકોર્ટે આપેલી તારીખે ૨૪-૮-૨૨ના રોજ અમદાવાદથી કોંગ્રેસના આગેવાન દીપકભાઇ બાબરીયા અને કામદાર આગેવાન હમીરભાઇ શીંગરખીયા, રાજશીભાઇ પરમાર, પરસોતમભાઇ ટુકડીયા, જીવાભાઇ બોઘાભાઇ, જયસુખભાઇ ગગજ વગેરેએ વકીલ સોઢી મારફતે નામદાર હાઇકોર્ટમાં અરજી કરી હતી.
કામદારોના બાકી હક્ક હિસ્સાની ચુકવણીનો માર્ગ મોકળો થશે એમ અંતમાં રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું.

संबंधित पोस्ट

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી 29 સપ્ટેમ્બરે બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે,પ્રિયંકા ગાંધી પણ ટુક સમયમાં ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે

દિલ્હીમાં 30 કરોડ રૂપિયાની સરકારી જમીન ટ્રાન્સફર કરવા બદલ અધિકારીને સસ્પેન્ડ કરાયા

Karnavati 24 News

૧૫ માં નાણા પંચ અંતર્ગત જિલ્લામાં માટે રૂ. ૪૭૨.૭૫ લાખના ખર્ચે ૨૯૧ વિકાસ કાર્યોનું લોકાર્પણ

Karnavati 24 News

10 ઉમેદવાર બાદ કુલ 29 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે, જેમાં સૌરાષ્ટ્રમાંથી 11, ઉત્તર ગુજરાતમાં 5, મધ્ય ગુજરાતમાં 6, દક્ષિણ ગુજરાતમાં 6 અને કચ્છમાંથી 1 ઉમેદવાર જાહેર થયા છે

વડોદરા ના ડેસર તાલુકા માં :સર્કસમાં ખેલ કરનારા કલાકારો સાથે જિંદગીએ પણ ખેલ ખેલ્યો

Karnavati 24 News

છેલ્લા સાડા ત્રણ વર્ષથી ઓફિસમાં રહેતો અનિલ હેગડે એટલો સમર્પિત છે કે તેણે લગ્ન પણ કર્યા નથી.

Karnavati 24 News