Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

પાટણના વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે પર્યટકોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા શહેર ભાજપના પૂર્વ પ્રમુખે સાંસદને પત્ર લખ્યો

પાટણ શહેરમાં વર્લ્ડ હેરીટેજ રાણીની વાવ તથા સહસ્ત્રલીંગ તળાવ નિહાળવા દેશ- વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે પ્રવાસીઓની જરૂરી સુવિધાઓના અભાવના કારણે મુશ્કેલી ભોગવવી પડી રહી છે જેને ધ્યાનમાં રાખીને પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ દ્વારા પાટણના સાંસદને પત્ર લખી રાણકીવાવ ખાતે પર્યટકોને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા રજૂઆત કરી છે.

પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ અને સહસ્ત્રલિંગ સરોવર નિહાળવા દિવસ ભર પ્રવાસીઓ આવતાં હોય છે ત્યારે પ્રવાસીઓની જરૂરી સુવિધાઓના અભાવ જોવા મળી રહ્યો છે. જેને લઈ ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ દ્વારા પાટણના સાંસદને પત્ર લખ્યો છે.

પત્રમાં જણાવ્યાં મુજબ પ્રવાસીઓની સુવિધા માટે સવારે 8 કલાકની જગ્યાએ સવારના 6 કલાકથી રાણીની વાવમાં પ્રવેશ આપવો, હાલમાં ગાડીનું પાર્કિંગ ખુબ જ નાનુ હોવાથી ટ્રાફીક સર્જાય છે તો વધુ ગાડીઓના પાર્કિંગ થઇ શકે તેવી ક્ષમતાવાળુ નવીન પાર્કિંગ બનાવવું, માળખાગત સુવિધાઓ જેવી કે બાથરુમ, ટોયલેટ હાલમાં ખુબ જ ઓછા છે તો નવા બાથરુમ- ટોયલેટ બનાવવા, રાણીની વાવનો હાલમાં જે ગાર્ડન છે તે રાત્રી સમયે નાઇટ લાઇટો તથા ગાર્ડનને સુશોભન કરવા માટે લાઇટો કરવી, પ્રવાસીઓને રસ્તાની જાણ માટે રસ્તા ઉપર બોર્ડ તથા એન્ટ્રી લગાવવી જેથી પ્રવાસીઓને અવર-જવર કરવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે, સહસ્ત્રલીંગ તળાવ પાસે ખુબ જ માટીના ઢગ તથા અવર-જવર કરવા નવીન રસ્તો બનાવવા અને બ્લોક પ્લેવીંગ ફીટ કરવા, આર્કોલોજીસ્ટ ઓફિસ પાસેના ગાર્ડનનું નવીનકરણ તથા સુધારણા અને નાઇટ લાઇટો ફીટ કરવા સહિત ગાર્ડનમાં સ્વચ્છતા જળવાય તે માટે સુવિધાઓ સાથે પ્રવાસીઓ સામે નોમીનલ ફી વસુલ કરવી જેવી માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત આવનાર પ્રવાસીઓને ચા-પાણી તથા શુદ્ધ શાકાહારી નાસ્તો અને જમવાની સુવિધા માટે નવીન હોટલનું બાંધકામ કરવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાની માંગ પાટણ શહેર ભાજપના પુર્વ પ્રમુખ સુરેશ જે. પટેલે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીને પત્ર દ્વારા કરવામાં આવી આવી છે.

संबंधित पोस्ट

આજ નું રાશિફળ (03/09/2025)

Gujarat Desk

પીપી સવાણી યુનિવર્સિટી ખાતે દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ 

Gujarat Desk

જન નાયગન સેન્સર કેસ હાઇલાઇટ્સ: મદ્રાસ હાઇકોર્ટે U/A પ્રમાણપત્ર પર CBFC અપીલ પર ચુકાદો અનામત રાખ્યો

Gujarat Desk

ઇઝરાયલે ઈરાનના તેહરાન પર હવાઈ હુમલો કર્યો, ખાસ ‘કટોકટી’ જાહેર કરી

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સંત શ્રી નગાલખા બાપા-ઠાકરધામના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપજ્ઞાન ગાથામાં ઉપસ્થિતિ

Gujarat Desk

સુરત માં શિવરાત્રી ને લઈ શિવાલયો મા ભક્તો નું ઘોડા પુર ઉમટયું

Karnavati 24 News