Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

પરિક્રમાનો આજે મધ્યરાત્રીથી પ્રારંભ થાય એ પૂર્વે ત્રણેક લાખ યાત્રિકો ઉમટીયા

ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ગિરનારની પરિક્રમા નો વિધિવત રીતે આવતીકાલે તારીખ 4 ના કારતક સુદ અગિયારસના મધ્યરાત્રી થી પ્રારંભ થશે પરંતુ ગઈકાલથી જ મોટી સંખ્યામાં યાત્રિકોએ ભવનાથ તળેટી અને આસપાસના વિસ્તારોમાં પડાવ નાખ્યો હતો અને પ્રવેશ દ્વાર ખોલવા માંગ કરી હતી ગતરાત્રિ દરમિયાન પણ તળેટી તરફ યાત્રીકોનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો હતો જેને ધ્યાને લઈને આજે વહેલી સવારે 5:00 વાગ્યે પ્રવેશદ્વાર ખોલી નાખવામાં આવ્યો હતો. બાદમાં દસેક વાગ્યા સુધી ભારે ભીડ રહી હતી જ્યારે બપોર બાદથી મોડી રાત્રી સુધીમાં મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા. વિધિવત પરિક્રમા શરૂ થાય એ પૂર્વે ત્રણ લાખયાત્રીકો ઉમટી પડ્યા હતા. વનવિભાગના ગણતરી પોઇન્ટ પર નોંધાયેલા આંકડા મુજબ આજે મોડી સાંજ સુધીમાં 50000 જેટલા યાત્રિકોએ નળપાણીની ઘોડી વટાવી લીધી હતી અને તેમાંથી મોટાભાગના લોકો અંતિમ પડાવ બોરદેવી પહોંચી ગયા હતા. તેઓ આવતીકાલે બપોર સુધીમાં પરિક્રમા પૂર્ણ કરી પરત તળેટી પહોંચી જશે આમ સવાર સાંજે પ્રવેશ દ્વાર પર યાત્રીકોનો ઘસારો જોવા મળ્યો હતો

संबंधित पोस्ट

બાગાયત ખેડૂત હાટમાં ૧૦૦ જેટલા સ્ટોલ્સ પર બાગાયત, ઓર્ગેનિક અને પ્રાકૃતિક કૃષિ પેદાશોનું પ્રદર્શન સહ વેચાણ

Gujarat Desk

ઓસ્ટ્રેલિયાએ અબજો ડોલરની નૌરુ દેશનિકાલ યોજના ને એપ્રુવલ આપ્યું

Gujarat Desk

આજ નું રાશિફળ (27/06/2025)

Gujarat Desk

મ્યાનમાર કૌભાંડ કેન્દ્રમાંથી થાઈલેન્ડ ભાગી ગયેલા નાગરિકોને સ્વદેશ પરત લાવવા માટે ભારતે લશ્કરી વિમાન તૈનાત કર્યું

Gujarat Desk

સુરતના સચિન GIDC વિસ્તારમાં કંપનીના ગેટ પર સૂતેલા બાળક પર એક ટેમ્પો ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મોત

Gujarat Desk

આજ નું પંચાંગ  (13/08/2025)

Gujarat Desk