Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જૂનાગઢના ગાંધી ચોક નજીક આવેલી મટન માર્કેટ અને સ્લોટર હાઉસ સુખનાથ ચોક માં ફેરવવા માંગણી

જૂનાગઢ શહેરના ગાંધી ચોક નજીક મટન માર્કેટ આવેલી છે જેના લીધે શહેરીજનોને ખૂબ જ અવરોધ ઊભો થાય છે અને લોકોને પણ મુશ્કેલી થાય છે આ અંગે અગાઉ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી છતાં મહાનગરપાલિકા દ્વારા કોઇ કાર્યવાહી થઇ નથી આ મામલે ભાજપના પૂર્વ નગરસેવક વહાબભાઈ કુરેશીએ જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી હાલ જે મટન માર્કેટ છે તે સુખનાથ ચોક નજીક આવેલા મહાનગરપાલિકાના ડેલા માં ફેરવવા માંગ કરી છે આ જગ્યા મોટી છે અને સ્લોટર હાઉસ પણ ત્યાં થઈ શકે એમ છે આથી મહાનગરપાલિકાને બે અલગ અલગ જગ્યા ન આપવી પડે આ મામલે વિસ્તારનાં વેપારીઓ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને લોકો પણ સહમત હોવાનું જણાવ્યું હતું કે આ મામલે વિચારણા કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે જો સ્લોટર હાઉસ અને મટન માર્કેટ ફેરવવામાં આવે તો જૂનાગઢમાં મુખ્ય ચોક એવા ગાંધી ચોક ના વેપારી અને રાહદારીઓ માટે પણ અનુકૂળતા આવે તેવી વ્યવસ્થા થઈ શકે તેમ છે ત્યારે હવે મહાનગરપાલિકા શું નિર્ણય લે છે તેના પર લોકો મીટ માંડીને બેઠા છે

संबंधित पोस्ट

સમાજવાદી પાર્ટીને ઝટકો, મુલાયમ યાદવના પુત્રવધુ અપર્ણા ભાજપમાં જોડાયા

Karnavati 24 News

સાવરકર પર થયેલા વિવાદને લઈને કોંગ્રેસ સાથે ગઠબંધન તોડી શકે છે ઠાકરે? ઉદ્ધવ જૂથના નેતાનો સંકેત

Admin

અહેમદ પટેલ પર લાગેલા આરોપો પર કોંગ્રેસે આપ્યો વળતો જવાબ

Karnavati 24 News

ગોંડલ વિધાનસભા બેઠક અલ્પેશ કથિરીયાને આપ પાર્ટી ઉતારી શકે છે, જાતિગત સમીકરણો

Admin

ટંકારાના લખધીરગઢ ગામે સહકારી અગ્રણી સ્વ. વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું અનાવરણ

Karnavati 24 News

 જૂનાગઢ જિલ્લામાં બહુમત ગ્રામ પંચાયતો પર ભાજપ-કોંગ્રેસે કર્યા જીતના દાવા

Karnavati 24 News