(જી.એન.એસ) તા. 7
ગાંધીનગર,
ત્રિપુરાના રાજ્યપાલ શ્રી એન. ઈન્દ્રસેના રેડ્ડી ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી એન. ઈન્દ્રસેના રેડ્ડીજીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કચ્છી શૉલ ઓઢાડીને તેમનું અભિવાદન કર્યું હતું.
ત્રિપુરાના લેડી ગવર્નર શ્રીમતી રેણુકા નલ્લુ પણ તેમની સાથે ગુજરાત પધાર્યા છે. ગુજરાતના લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીએ શ્રીમતી રેણુકાજીનું સ્વાગત કર્યું હતું.
ત્રિપુરાના રાજ્યપાલ શ્રી એન. ઈન્દ્રસેના રેડ્ડી માધવપુર ઘેડ મેળામાં ભાગ લેવા આવતીકાલે માધવપુર જશે.



