Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ઉનામાં આંગણવાડીના બાળકોના જીવ સાથે ચેડાં; દિવાલોમાં સેવાળ ઊગી નિકળી

(જી.એન.એસ) તા. 24

ઉના તાલુકાની ભાચા ગામની 3 નંબરની આંગણવાડી છેલ્લા એક વર્ષથી જર્જરીત હાલતમાં છે.આંગણવાડીમાં છત પરથી પોપડા ખર્યાછે.સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આંગણવાડી જર્જરિત હોવા છતાં બાળકોના જીવ સાથે ચેડા શા માટે કરવામાં આવી રહ્યા છે.આ આંગણવાડીમાં હાલ પાણી પણ ટપકી રહ્યું છે. અન્ય પોપડા પણ હજુ પડે તેવી પરિસ્થિતિમાં છે છતાં આ છત નીચે નાના ભૂલકાંઓ બેસી અભ્યાસ કરી રહ્યા છે.

પોપડા પાડવાની ઘટનાને લઈને વાલીઓ બાળકોને મોકલતા પણ અચકાય છે. 2011માં નિર્માણ પામેલ આ આંગણવાડીની દેખરેખ કે સાંભળ લેવાનું કદાચ તંત્ર ભૂલી ગયું છે. કારણકે આ આંગણવાડીની હાલત જોઈ અંદાજો લાગી શકે કે અગિયારેય રંગ રોગન કર્યું નહીં હોય. દીવાલોમાં શેવાળ ઊગી નીકળ્યો છે. હાલ તો આ ઘટનાને લઈને બાળકોના જીવના જોખમે બેસી રહ્યા છે.જ્યારે આ અંગે ઉના તાલુકા વિસ્તારમા CDPO ને પૂછવામાં આવ્યું ત્યારે આ અંગે તેઓ અજાણ હતા અને આંગણવાડી વર્કર ઉપર નોટિસ આપવાની વાત કરી પોતાનો લૂલો બચાવ કર્યો હતો. જ્યારે આ CDPO માત્ર ઓફિસમાં બેસી આંગણવાડીઓને ચલાવે છે. ક્યારેય આ આંગણવાડીઓની જાતે તપાસ કરી નથી. હાલ ઊનાની 70 જેટલી આંગણવાડી જર્જરિત હોવાનો ખુલાસો ખુદ ઉના CDPOએ આપ્યો છે.

संबंधित पोस्ट

એક જ શ્વાને 10 થી વધુ લોકોને કરડી ખાતા ગ્રામજનો માં ભય નો માહોલ

Gujarat Desk

જેન ઝી વિરોધ પછી નેપાળના ભૂતપૂર્વ રેપર મુખ્ય મતદાનમાં પીએમ પદ માટે ચૂંટણી લડશે

Gujarat Desk

કેનેડિયન રાજકારણમાં ઇમિગ્રેશન એક સળગતો મુદ્દો રહ્યો છે!?

Gujarat Desk

નવી મુંબઇની એક સ્કૂલના 16 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, એકના પિતા કતારથી આવ્યા હતા

Karnavati 24 News

પ્રધાનમંત્રી મોદીએ કેરળમાં કલ્યાણકારી યોજનાઓનો શુભારંભ કર્યો: ‘વિકાસ માટેના કેન્દ્રના પ્રયાસોને નવી ગતિ મળી’

Gujarat Desk

વલસાડ: ભિલાડ ઇન્ડિયાપાડા ચેકપોસ્ટ પાસે વિદેશી દારૂની 1760 બોટલ સાથે 2 પકડાયા, મંગાવનાર વોન્ટેડ જાહેર

Admin