Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ઈસનપુર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ થયેલ હત્યાના ગુનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો



(જી.એન.એસ) તા. 2

અમદાવાદ,

શહેરના ઈસનપુર વિસ્તારમાં લગભગ 20 દિવસ અગાઉ થયેલ હત્યાના ગુનામાં શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી હત્યાને અંજામ આપી રાજસ્થાન ભાગી ગયો હતો. આ ઉપરાંત પોતાના કપડા સળગાવી પુરાવાનો નાશ કર્યો હોવાની હકીકત પણ સામે આવી છે.

આ ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તા. 11 માર્ચના રોજ શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવ પાસેથી 55 વર્ષીય આધેડ પૂનમ દંતાણીની હત્યા કરવામાં આવી હતી, જે હત્યામાં ફરાર આરોપી શંકર મીણાની હિંમતનગર પાસેથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી શંકરને શંકા હતી કે મૃતક પૂનમને તેની પત્ની સાથે આડા સંબંધ છે. જેને લઈ અગાઉ શંકરની તેની પત્ની અને મૃતક સાથે પણ તકરાર થઈ હતી. જોકે 11 માર્ચની રાત્રે મૃતકે આરોપીને તને પત્ની સાથેના સંબંધોને લઈને ઉશ્કેર્યો હતો. જે બાદ આરોપી શંકરે આધેડ પૂનમની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.

આ મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે હિંમતનગર પાસેથી આરોપી શંકરની ધરપકડ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે આરોપીએ ત્રિશૂળ જેવા હથિયારથી મૃતકને 14 ઘા માર્યા હતા. આરોપીએ કાવતરા પૂર્વક હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કારણ કે આરોપીએ હત્યા પહેલા પોતાના શરીર પર પ્લાસ્ટિક વીંટ્યુ હતુ. ઉપરાંત મૃતકને માથામાં બોથડ પદાર્થનો ઘા મારી બેભાન કર્યા બાદ મૃતકના કપડા હટાવી તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. જે બાદ કપડા સરખા કરી ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત હત્યા કર્યા બાદ પોતાના પહેરેલા અને મૃતકના લોહીના ડાઘા વાળા કપડા પોતાના વતન પહોંચી સળગાવી દીધા હતા. આરોપી અને મૃતક વચ્ચે છેલ્લા કેટલાક સમયથી આ બાબતને લઈને લઈ તકરાર થતી હતી. જેથી આરોપીની પત્ની હાજર ન હતી તે સમયે હત્યાને અંજામ આપી મકાન બંધ કરીને તે ફરાર થયો હતો.

આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી અને મૃતક છેલ્લા 25 વર્ષથી એકબીજાની પાડોશમાં રહે છે અને બંને છૂટક મજૂરી કરતા હતા. પરંતુ હત્યા નીપજાવી આરોપી શંકર અચાનક જ મકાન બંધ કરી જતો રહેતા પોલીસને શંકા ઉપજી હતી. જેથી તેના વતન અને પરિવારના સભ્યોની પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

संबंधित पोस्ट

કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં આઈટી ભરતીમાં ૧૬%નો ઉછાળો…!!

Gujarat Desk

કપડવંજ-નડિયાદ રોડ પર થાર ગાડી અને એસ.ટી. બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

Gujarat Desk

આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાંસરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં યોજાશે ખેડૂત સંમેલન

Gujarat Desk

અમદાવાદમાં રાજ્યકક્ષાનો દ્વિદિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ સંપન્ન

Gujarat Desk

ઇમરાન ખાનની બહેન અલીમા ખાનમ પર રાવલપિંડીની અદિયાલા જેલની બહાર એક ઈંડું ફેંકવામાં આવ્યું

Gujarat Desk

ગ્રેટ વ્હાઇટ શાર્ક દ્વારા સર્ફરના મોત બાદ સિડની બીચ પર ડ્રોન અને હેલિકોપ્ટર તૈનાત

Gujarat Desk