Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ બેન્કોના NIM પર દબાણની સંભાવના…!!

રેપો રેટમાં થયેલા નવા ઘટાડા બાદ બેન્કોના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (NIM) પર વધારાનું દબાણ સર્જાવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. બેન્કોના ધિરાણ દરો સામાન્ય રીતે ઝડપથી ઘટે છે, જ્યારે થાપણ પરના વ્યાજ દરોમાં ઘટાડો ધીમે અમલમાં આવે છે. ધિરાણના દરમાં તરત થતી કપાતની સરખામણીએ થાપણના દરો મોડા એડજસ્ટ થાય છે, જેના કારણે બેન્કોના NIM પર નકારાત્મક અસર પડી શકે છે. બીજી તરફ, ધિરાણ વૃદ્ધિની સરખામણીએ થાપણ વૃદ્ધિ સતત મંદ રહેતી હોવાથી લિક્વિડિટી બેન્કિંગ ક્ષેત્ર માટે એક મોટો પડકાર બની રહી છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નાણાં નીતિ સમીક્ષા બેઠક પૂર્ણ થતાં જ રેપો રેટમાં ૦.૨૫ ટકા વધુ ઘટાડો જાહેર કર્યો હતો. આ ઘટાડાનો વ્યાપક પ્રભાવ વર્તમાન નાણાં વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં દેખાવાની શક્યતા છે. લિક્વિડિટી સુધારવા RBIએ નવેમ્બરમાં ઓપન માર્કેટ ઓપરેશન (OMO) દ્વારા રૂપિયા એક લાખ કરોડ મૂલ્યની સરકારી સિક્યોરિટીઝ ખરીદવાની જાહેરાત કરી છે. ઉપરાંત, પાંચ અબજ ડોલર મૂલ્યના ત્રણ વર્ષીય ડોલર/રૂપિયા ખરીદ-વેચાણ વિનિમયનો પગલું પણ આયોજનમાં છે.

આવા પગલાં છતાં, થાપણથી ધિરાણના ઊંચા પ્રમાણને કારણે બેન્કો માટે થાપણ આકર્ષવા ઊંચા વ્યાજ દર જાળવી રાખવા ફરજિયાત બનશે, જે વ્યાજ આધારિત આવક પર દબાણ વધારી શકે છે. બેન્કરોના મતે, રેપો-લિંક્ડ લોનના દરો હવે નવેસરથી ગણાશે અને તેઓ અગાઉ કરતાં નીચા રહેશે. ધિરાણના દરો તાત્કાલિક ઘટી જાય છે, જ્યારે થાપણના દરોમાં ઘટાડો મોડે હોવાથી બેન્કોની માર્જિન અસરગ્રસ્ત બને છે.

સાથે સાથે, બચતકારો પાસે હવે ઊંચી ઉપજવાળા અનેક વિકલ્પો ઉપલબ્ધ હોવાથી તેઓ ફિક્સ્ડ ઇનકમથી આગળ વધી અન્ય સાધનોમાં રોકાણ કરે છે. પરિણામે બેન્કોમાં થાપણ વૃદ્ધિ ધીમી રહી છે. ૧૪ નવેમ્બરના પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ ૧૧.૪૦ ટકા રહી હતી, જ્યારે થાપણ વૃદ્ધિ માત્ર ૧૦.૨૦ ટકા પર સીમિત રહી હતી, જે બેન્કિંગ સિસ્ટમમાં વધતા લિક્વિડિટી ગેપને દર્શાવે છે.

संबंधित पोस्ट

છેલ્લા ત્રણ વર્ષમાં “માનવ કલ્યાણ યોજના” અંતર્ગત રાજ્યના કુલ ૧.૧૬ લાખ કરતાં વધુ કારીગરોને સાધન સહાય અપાઈ

Gujarat Desk

શુક્રવારે અમેરિકન ડોલર સામે રૂપિયો નબળો પડ્યો…!!!

Gujarat Desk

બાળકો ગોખણિયા શિક્ષણને બદલે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે માટે રાજ્ય સરકારની નવતર પહેલ

Gujarat Desk

ગુજરાતમાં આઇ.પી.એસ. અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી છે: ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરેન્દ્રનગરમાં રૂ.૬૯૬.૨૫ કરોડના ૧૨ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયાં

Gujarat Desk

ભાગેડુ પરમિંદર સિંહને ઇન્ટરપોલ ચેનલો દ્વારા યુએઈથી ભારત પરત લાવવામાં આવ્યો

Gujarat Desk