Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશરાજકારણસ્થાનિક સમાચાર

 આણંદના લોકોને ગાંધીનગર સુધી પહોંચવા વધુ એક ટ્રેનની સુવિધા મળી

અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 24 ડિસેમ્બરથી ચાલુ કરવામાં આવી છે . જેમાં અમદાવાદ , નડિયાદ , આણંદ , વડોદરા , ભરૂચ , સુરત , વાપી અને બોરીવલી સ્ટેશનનો સ્ટોપેજ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે . જેથી ચરોતરને વધુ એક ટ્રેનની સુવિધા મળી રહી છે . મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને , રેલ્વે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 12009/12010 મુંબઈ સેન્ટ્રલ • અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને ગાંધીનગર કેપિટલ સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે . આ ટ્રેન નં . 12009 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ 24 ડિસેમ્બરથી દરરોજ ( રવિવાર સિવાય ) મુંબઈ સેન્ટ્રલથી 06:10 વાગ્યે ઉપડશે અને 12.22 વાગ્યે અમદાવાદ પહોંચશે . 12.37 વાગ્યે રવાના થઈ 13.40 વાગ્યે ગાંધીનગર કેપીટલ પહોંચશે . આજ પ્રકારે ટ્રેન નં . 12010 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ગાંધીનગરથી 14.20 વાગ્યે ઉપડીને 15.00 વાગ્યે અમદાવાદ પહોંચશે અને 15.05 વાગ્યે રવાના થઈ 21.45 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે . આ બંને દિશામાં માર્ગમાં આ ટ્રેન અમદાવાદ , નડિયાદ , આણંદ , વડોદરા , ભરૂચ , સુરત , વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે . આથી ચરોતરને વધુ એક ટ્રેનની સુવિધા મળી રહેશે.આ ટ્રેનના સંચાલન સમય , સ્ટોપેજ અને ટ્રેનના બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે . પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ , મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID – 19 સંબંધિત તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવાનું રહેશે . અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 24 ડિસેમ્બર 2021 થી ચાલુ કરાશે .

संबंधित पोस्ट

વ્યક્તિઓ, પરિવારો, સમાજ અને સરકારની ભાગીદારી દ્વારા જ અસરકારક જળ વ્યવસ્થાપન શક્ય છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

Gujarat Desk

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી વિસ્ફોટ પાછળના ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી

Gujarat Desk

ઉના સરકારી હોસ્પિટલમાં માં રોગી કલ્યાણ સમિતિ ની બેઠક યોજાઇ હતી

Karnavati 24 News

શોમનાથ બાયપાસ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 વ્યકિતનાં મોત

Admin

દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ડભવા ગામ ખાતે સગાઈ પ્રસંગમાં દેવગઢ બારીયાના મહારાજા અને પૂર્વ ધારાસભ્ય તુષાર સિંહ બાબા એ હાજરી આપી

Karnavati 24 News

અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવેલ 29 ગુજરાતીઓ વતન પરત ફર્યા

Gujarat Desk