Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

અજમેર શરીફના ઉર્ષમાં ભાગ લેવા ગયેલા અમરેલીના બે યુવાનનું અકસ્માતમાં મોત

અજમેર શરીફના ઉર્ષમાં ભાગ લેવા ગયેલા અમરેલીના બે યુવાનનું અકસ્માતમાં મોત

અમરેલીમા ચાંદની ચોકમા રહેતા અલ્તાફભાઇ બાબુભાઇ નગરીયા પોતાના મિત્રો સાથે કાર લઇ ઉર્ષ શરીફમા ભાગ લેવા અજમેર ગયા હતા. અને અજમેરથી પરત ફરતી વખતે પાલી નજીક તેમની કાર સાથે સામેથી રોંગ સાઇડમા આવી રહેલી કારના ચાલકે અકસ્માત સર્જયો હતો. આ ઘટનામા અલ્તાફભાઇ નગરીયાનુ મોત થયુ હતુ. જયારે તેમની સાથે રહેલા જાવિદભાઇ કરીમભાઇ ચૌહાણ અને સરફરાઝભાઇ કાળુભાઇ બિલખીયાને ઇજા પહોંચી હતી. મૃતક અલ્તાફભાઇને સંતાનમા એક દીકરો અને એક દીકરી હોવાનુ જાણવા મળેલ છે.

અકસ્માતની અન્ય એક ઘટનામા અમરેલીના શકીલ સલીમભાઇ મકવાણા (ઉ.વ.18) નામના યુવકનુ મોત થયુ હતુ. આ યુવક પોતાના સગા ભાઇ અને માસીના દીકરા સાથે કાર લઇ અજમેર જવા નીકળ્યો હતો. પરંતુ આબુ રોડ નજીક સવારના સમયે ગાઢ ધુમ્મસ હોય તેની કાર ડિવાઇડર સાથે અથડાઇ ચાર ગોથા ખાઇ ગઇ હતી. શકીલ કારમાથી બહાર ફેંકાઇ જતા ગંભીર ઇજાથી તેનુ મોત થયુ હતુ. જયારે તેના સગા ભાઇ અને માસીયાઇ ભાઇ સહિત ત્રણને ઇજા પહોંચી હતી. બંને યુવાનોની અમરેલીમા દફનવિધી કરાઇ હતી.

संबंधित पोस्ट

સુરત: સુરત એરપોર્ટ પર બિનવારસી લગેજ ટ્રોલીમાંથી રૂ. 67 લાખના 10 સોનાના બિસ્કિટ મળ્યા

Admin

ગોંડલમાં આવેલ ફાટક આઇસર ચાલકે તોડ્યું: ટ્રેન સમયે રોકી દેવાતા જાનહાનિ ટળી, આઇસર ચાલકની શોધખોળ હાથ ધરાઇ

Admin

અતીક અહેમદ હત્યાકાંડના પડઘા પાકિસ્તાન સુધી પડ્યા, જાણો શું કહે છે કંગાળ દેશના નેતાઓ?

Admin

વડોદરા: રુવાટા ઊભા કરે એવી થ્રિલર ઘટના: બે પ્રેમીએ ભેગ મળી પ્રેમિકાનું ગળુ દબાવ્યું, બ્રિજ પરથી મૃતદેહ મિનિ નદીમાં ફેંક્યો

Admin

महाराष्ट्र: महाराष्ट्र के कनेरी मठ में 52 गायों की मौत, 80 से ज्यादा बीमार! कवरेज करने पहुंचे मीडियाकर्मियों के साथी की मारपीट

Admin

आजमगढ़ : बाबा साहेब आंबेडकर की मूर्ति तोड़ने पर चक्काजाम, फ़ोर्स तैनात

Karnavati 24 News